SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદેષ્ટિ હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અને કહે છે तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન ટ કંઈ, નિયમ તેહવો ખાસ; અનુક્રેગ હિત કાર્યમાં તત્ત્વવિષય જિજ્ઞાસ, ૪૧, અર્થ તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે. વિવેચન “દશન તારા દષ્ટિમાં....મન ગોમય અગ્નિ સમાન...મન”—. સ. -૧ આ બીજી તારા નામની દૃષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ–ચેક હોય છે. એને ગોમયના એટલે છાણના અગ્નિકની ઉપમા ઘટે છે. વૃત્તિ-તારાય તુ-તારા દૃષ્ટિમાં તે, શું? તે કે-મના ૫છં-કંઇક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિચન તથવિધઃ-અને તથા પ્રકારનો નિયમ, શૌચ આદિ; ઈરછા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શૌચ, સંતોષ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. ‘શૌનસંપતY:વાધ્યાયે ઘળિયાના ત્તિ: _એ વચન ઉપરથી. તેથી અત્રે દિતીય-બીજા યોગથકી પ્રતિપત્તિ પણ હોય છે, પણ મિત્રામાં તે આનો અભાવ જ છે,–તથા પ્રકારના ક્ષયોપશમના અભાવને લીધે. તથા બના હિતાર-પારલૌકિક હિત આરંભમાં અનુૉગ. પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય. એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા નિજ્ઞાસા તરવાવરા-તરગેચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા,-અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ છે. (અદ્વેષ ગુણ પહેલાં આવ્યો છે, એટલે તેના અનુગુણપણે--તેને પછીને જિજ્ઞાસા ગુણ આવે છે.)
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy