SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) ગદહિસમુચ્ચય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હેઈ લક્ષ્ય વિનાના બાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્દગુરુનો સમાગમ વેગ થયો હશે, પણ તેને તે સ્વરૂપે નહિં એાળખવાથી, તે વંચક થયે છે, ફેગટ ગયે છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણ વિના અને સાધ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના, એટલે તે પણ વંચક થઈ છે, ઈષ્ટ કાર્યસાધક થઈ નથી, ઉલટી બાધક થઈ છે! સાધન હતા તે ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે બંધન થઈ પડ્યા છે ! અને આમ ફલ પણ વંચક થયું છે. અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિં ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિય, ઊગે ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજે નહિં, ત્યાં બંધન શું જાય?”—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વંચક લેગ ક્રિયા ને ફલ દૂર થઈ, અત્રે આ પ્રથમ મિત્રાદેષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને અવંચક યેગ-કિયા-ફળની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે અને તે પણ સંતચરણના શરણરૂપ આશ્રયને લઈને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે. આ અવંચકત્રય પણ જેના નિમિત્તે હોય છે, તે કથવા માટે કહે છે – एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સ–ણામાદિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંત અ૫; ને એને હેતુ પરમ, તથા ભાવમલ અ૫, ૩૫ અર્થ –અને આ અવંચકત્રિપુટી સપ્રણામ આદિન નિમિત્ત હોય છે, એમ સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે અને આ સત્પ્રણામાદિને પણ પરમ હેતુ તથા પ્રકારે ભાવમલની અલ્પતા એ છે. વૃત્તિ -ઇસ્તન્ન –અને આ અવંચકત્રિપુટી, સબળાનાવિનિમિત્ત-સત પ્રણામાદિ નિમિત્ત, સાધુઓ પ્રયે વન્દનાદિન નિમિત્ત હોય છે, એમ અર્થ છે. સમજે સ્થિd-સમયમાં સ્થિત છે. સિદ્ધાન્તમાં પ્રતિષિત છે. ૪-આનો, સત પ્રણામ આદિના, દેવશ્વ પરમઃ–પરમ હેતુ વળી, કયો? તે માટે કહ્યું –તથા માવ તથા પ્રકારે ભાવમલની અલ્પતા-એ છે. એટલે કર્મસંબંધની એગ્યતાની અલ્પતા–એ છે. રત્ન વગેરેને મલ દર થયે, સ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ,-એવું ગાચા કહે છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy