SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અાઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૭૧) ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિર દષ્ટિના બેધનું સમાનધર્મપણું– સરખાપણું છે, તે અત્રે યથામતિ સંક્ષેપમાં વિવેચ્યું છે. તથાપિ કેળના પત્રની અંદર પત્ર હોય છે, તેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને વિસ્તાર કેમ કરી શકાય ? જૈસે કેલકે પાતમેં, પાત પાતમેં પાત; તૈસે જ્ઞાનીકી બાતમે, બાત બાતમે બાત. ” ૬. કાંતા દૃષ્ટિ છઠ્ઠી દીઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ.”—શ્રી યોગ સઝાય છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં તારાની પ્રભા જેવો બંધ હોય છે. આ “કાંતા” દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં બીજાં સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો સમ્યગદષ્ટિ કાંતા જેવી પુરુષ ભલે બીજું કામ કરતું હોય તો પણ તેનું ચિત્ત સદા કૃતધર્મમાં જ કતા લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીને ચાકરની જેમ તેને પરાણે સંસાર સંબંધી કર્મ કરવું પડે, તે પણ તેમાં તેની અનાસક્તિ જ હોય છે. તેની પરમ આસક્તિ–ભક્તિ, પરમ પ્રેમ તે કેવળ શ્રતધર્મમાં જ એટલે “જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે” જ હોય છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તેમ શ્રુતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે......... ધન ધન શાસન શ્રી જિનવરતણું.”_શ્રી યોગ સઝાય આવી આ કાંતા દષ્ટિને તારાની પ્રજાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારા પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિર દષ્ટિ કરતાં - આ દૃષ્ટિને બંધ વધારે પ્રકાશમાન–વધારે ગાઢ હોય છે. તારા પ્રકાશ તારા પ્રભા ગગનમાં ચમકારા કરતો રહી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ હોય છે, ધ્રુવ સમી કાંતા હોય છે, સદાય અખંડપણે મેજૂદ જ હોય છે, તેમ આ દષ્ટિને બાધ પણ સદાય ચિદાકાશમાં ચમકે રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હોય છે. - અને એટલા માટે જ અત્રે તથા પ્રકારનું ભાવ અનુષ્ઠાન-સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સક્રિયા તેનું નામ “અનુષ્ઠાન છે. એટલે આ સમ્યગ્રજ્ઞાનીને જે આત્મજ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણરૂપ ભાવક્રિયા કરવાનેનિરતિચાર સચ્ચારિત્ર પાળવાને આ પુરુષ સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ સેવે છે. આ પુરુસદનુષ્ટાન થના વંદન-ભક્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેચના આદિ ભાવથી હોય છે. તેનો આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા રાખે છે ને પરભાવમાં નિષ્કામ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy