SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [૩૩ આ વીતરાગદશા આંતરસ્પર્શી છે, અંદરના હૃદયતંતુઓને હલાવનાર છે અને તેને જાગૃત કરી ચાલુ કરવી એ આ સ્તવનાના ઉદ્દેશ હેાય છે. ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા, વિચારણા દ્વારા, ધ્યાન દ્વારા, એકાગ્રતા દ્વારા કે સમાધિ દ્વારા આ અંતરના તારને હુલાવવાના પ્રયત્ન વખતે નામથી ગોથવાઈ જવા જેવું નથી; નામ એક હોય અને સામે મૂર્તિ અનેરાની હોય એમાં કોઇ પ્રકારના વિરાધ થઇ જાય છે એમ ધારવા જેવું નથી. આ આદર્શને યાગીએએ કે કવિએ ચિત્ર તરીકે રજૂ કર્યા છે અને તેના નામ સાથે કશે ખાસ સબંધ નથી એ ધ્યાનમાં રાખવું. આટલી ચેાખવટની ખાસ જરૂર છે. સ` સ્તવનાના આંતર ધ્વનિ શું છે એ પર લક્ષ્ય રાખવા જેવું છે. બાકી, ચાર, નિક્ષેપામાં નામનિક્ષેપે સમજી જવાય તે નામનું નિક્ષેપણ ગમે તેના પર ગમે તેમ થઈ શકે તેમ છે. મતલખ, જ્યાં અમુક તીથ કરની મૂર્તિ મનમાં કે સ્થૂળ રૂપે સામે હાય તેની પાસે અનેરા તીર્થંકરના નામનું સ્તવન ખેલવામાં જરા પણ વાંધે નથી. એટલે જ્યાં જ્યાં તીર્થંકરનું નામ આવે ત્યાં સ્તવનમાં પરમાત્મસ્વરૂપને સમજવું, નામ ઉપચાર માત્ર છે એમ ધારવું અને અંતરંગ શત્રુ પર વિજયના આદશને લક્ષ્યમાં રાખી એ રચાયેલું છે એ વાત પર ધ્યાન આપવું. આ પ્રકારના આત્મનિણ ય થતાં ગમે તે વખતે ગમે તે મદિરમાં કોઈ પણ સ્તવન ખેલવામાં ગૂ ́ચવણ નહિ થાય. આ ખામત આનંદઘનજીનાં યાત્ર-સ્તવનને તે ખાસ લાગુ પડે તેવી છે. નામનિક્ષેપ સમજનારને આ વાત દીવા જેવી લાગે તેમ છે. આટલા જરૂરી ખુલાસા પ્રસ્તાવનારૂપે વિચારી આપણે હવે સ્તવન પર વિચારણા કરીએ. સ્તવન ( વેલીની દેશી; મનડું માદ્યો રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી ) પથડો નિહાલું રે બીજા જે તે જીત્યા રે તિણે હું જિનતા રે, અજિત અજિત ગુણધામ; જીતીયા રે, પુરુષ કર્યું મુજ નામ. પથડા નિહાલુ રે બીજા જિનતણા રે. વાટડી વિલાક રે બીજા જિનતણી રે. ૧ પાઠાંતર—નિહાલું રે — નિહાલૂ રે. તારે—( કેટલી પ્રતમાં ‘ રે ’ નથી. ) તે – સ્થાને તઈ. તેણે – તિઈ. મુજ – માહરું. વિલાપુ = જોઉં. વાડી વિલે રે ખીન્ન જિનતણી રે – એ આખું ટેકનું પદ એક પ્રતમાં કે છાપેલ પુસ્તકમાં નથી. રે – ત્રીજા ચરણ તથા ટેકને અંતે નથી. (૧) – શબ્દા—પથડો = રસ્તો, માગ, વાટ. નિહાલુ = જોઉં, અવલો. ખીજા = પહેલા પછીના, દ્વિતીય. જિન = તીથંકર. ત = તા. અજિત = બીજા તીથંકર મહારાજનું નામ. અજિત = ( સામાન્ય રીતે) ( : નહિ જિતાયલા એવા. ગુણ = સારાં લક્ષણ, સદ્ગુણ. તેના ધામ = ધર, ઠેકાણું, સ્થાન. * કોઈ પ્રતમાં રાગનું નામ ‘ આસાઉરી ' જણાવે છે. છાપેલ પુસ્તક્માં વિમલાચલે રે’-એ દેશી બતાવી છે. જે = જે રાગદ્વેષ, ાય ‘મારું મન મોહ્યું રે શ્રી પ્
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy