SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ (૩) શ્રી જ્ઞાનવિમલસૂિિવરચિત શ્રી પાશ્ર્વનાથ જિન સ્તવન ભૂમિકા—આ પાર્શ્વનાથનુ સ્તવન જ્ઞાનવિમલસૂરિએ બનાવી તેની આખરે પોતાનું નામ મૂકયુ છે અને તેના અર્થ પણ લખ્યા છે. જ્ઞાનવિલાસના કર્તા આવું તદ્ન સાદું` સ્તવન લખે એ નવાઇ ભરેલું લાગે તેમ છે. તેને અં પણ ઉઘાડો હોવાથી એના પર બહુ વિસ્તારથી વિવેચન કરવામાં નહિ આવે. એમાં આનંદઘનજીની ભાષા કે ઊંડાણુ મને જણાયાં નથી અને તે સરખામણી કરવા માટે જ એને અહીં ૨૩ (૩) અને મહાવીરસ્વામીના સ્તવનને ૨૪ (૩) તરીકે સ્થાન આપેલ છે. જ્યાં સુધી આ પ્રાણી પૌદ્ગલિક વિષયે કે અહીં મળેલાં સગાંઓમાં રાચીમાચી રહે ત્યાં સુધી એ નિજ સ્વરૂપને ઓળખતા નથી, અને પરભવ–પૌદ્ગલિક ભાવમાં રમણુ કરે છે ત્યાં સુધી એને નિસ્તાર થતા નથી, પણ એ એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડે છે અને વિચિત્ર પ્રકારનાં જુદાં જુદાં જીવન પસાર કરે છે. થોડાં વર્ષ સુધી એ રાજ્ય કરે છે. કોઈ પ્રધાન થાય છે, કોઇ દીવાનગીરી કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ શેઢીએ બને છે અને કોઇ ગુલામગીરી કરે છે એમ પેાતાને જે અનેક પ્રકારના પાઠ ભજવવાના મળે તે થાડાં કે વધારે વર્ષો સુધી ભજવી અંતે વીસરાળ થઈ જાય છે અને પાછા બીજી જગ્યાએ બીજો જ પાઠ ભજવે છે અને નવાં સગાંઓ–સંબધીઓ કરે છે. એ અનેક ખટપટા કરે છે, અને દુનિયાની અરધી–ઝાઝી સમજણુ પાતામાં છે એમ માની પોતાની નજર ખૂબ પહોંચાડવાનો દાવા કરે છે. અને આ પ્રમાણે મનુષ્ય થાય ત્યારે તો સમજ્યા, પણ કોઇ વાર તિય ચ ગતિમાં જઇ ત્યાં મૂંગે મોઢે માર સહન કરે છે અને ભૂખ્યા તરસ્યા રહે છે અને મરજી ન હોય તા પણ જોતરે જોડાય છે. આમાં જો એના જીવનનું પૃથક્કરણ કરવામાં આવે તે સુખ જેવુ કાંઈ દેખાતું નથી, છતાં અદ્ભુત વાત તો એ છે કે કોઈને-ઘણાખરાને-આમાંથી નીકળવાનું અને સાચું શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું મન પણ થતુ નથી અને કોઇ સંસારમાંથી જાય ત્યારે એ પાકે પાક રડે છે. પણ અંતે સર્વને માટે એ જ મા છે એ તે જાણે છે, છતાં તદનુસાર વન કરતા નથી, કરવાનું મન પણ કરતા નથી. આ સ્તવનમાં આવા આવા વિચાર। બતાવ્યા છે તે ચાલુ વિચારે છે, અને ઘણાએ અનેક સ્થાને બતાવ્યા છે, તેથી અર્થ સમજવા પૂરતું જરૂરી વિવેચન જ આ સ્તવનને અંગે કરવામાં આવશે. જ્ઞાનવિમલસૂરિની આ ગંભીર કૃતિ છે એમ ધારી એનું મનન કરવું.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy