SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪] શ્રી આનંદઘન-ચવીશી મારા સ્વરૂપને વિચાર કરું છું તે તમે અચલ, વિમળ અને અકય છે, તેવી જ રીતે સત્તાગતે હું પણ તે જ છું. આપનામાં જે અનેક ગુણે છે તે પૈકી ત્રણ ગુણ અચળતાને, વિમળતાને અને અકખ્યતાને સત્તાગને મારામાં પણ છે, તે હવે મારા ગુણ આવિર્ભાવ શી રીતે પામે અથવા પ્રગટ કેમ થતા નથી તેનું કારણ આપ મને જણાવો, સ્પષ્ટ કરે. આપ અચળ છો, આપના મૂળ ગુણથી ખસતા નથી. આપ નિર્મળ છે, આપને કમને મેલ લાગત નથી, આપ ન સમજી શકાય તેવા અકથ્ય છે. તે અનેક ગુણ પૈકી સત્તામાં એ ત્રણ ગુણે મારામાં પણ છે, તે આપના ગુણે આવિર્ભાવ પામ્યા અને હું તે શું તે જ રહ્યો, તે મારા એ ગુણ આવિર્ભાવ કેમ પામે અને આપના જે હું કઈ રીતે થાઉં, તેનું કારણ મને સમજાવો. આ પ્રશ્ન સ્વાભાવિક છે. હવે તેને પાર્શ્વનાથ શે જવાબ આપે છે, તે હવે પછીની ગાથામાં જણાવે છે તે લક્ષ્ય પૂર્વક વિચારવા જેવો છે. મુઝ પ્રવચન પક્ષથી, નિશ્ચય ભેદ ન કોય રે વિવહારે લખી દેખીએ, ભેદ પ્રતિભેદ બહુ લાય રે. પાસવ ૨ અર્થ–પ્રભુ તે સવાલનો જવાબ આપે છે, શુદ્ધ શાસ્ત્ર દષ્ટિએ, નિશ્ચયનયે જોઈએ તે મારામાં અને તારામાં કાંઈ તફાવત નથી. વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરીએ તો તે મારામાં અને તારામાં તફાવત અને પેટભેદો અનેક છે, તે જોવા લાયક છે. (૨) વિવેચનસત્તાગતે પિતામાં રહેલા પ્રભુના ગુણે પ્રગટ કરવાની ઇચ્છાથી પૂછેલા સવાલને પાર્શ્વનાથ ભગવાન આ જીવને નીચે પ્રમાણે જવાબ આપે છે. મારા પ્રવચન પક્ષથી નિશ્ચયન મારામાં અને તારામાં કોઈ પ્રકારને ભેદતફાવત નથી, નિશ્ચયનયે આત્માને કર્મ લાગતાં નથી સત્તાગને તું મારી પેઠે અચલ, વિમળ અને અકખ્ય ગણી શકાય; અને જ્યારે વ્યવહારનયે વિચાર કરી જોઈએ ત્યારે એના અનેક ભેદ અને પેટભેદ થાય એવી સ્થિતિ છે. જૈન દ્રવ્યાનુયેગમાં નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારનાં દૃષ્ટિબિંદુઓ છે, એકને દ્રવ્યાર્થિકનય કહે છે, બીજાને પર્યાયાર્થિકનય કહે છે. એ દ્રવ્યાર્થિકનયના ચાર ભેદ છે અને પર્યાયાથિકનયના ત્રણ ભેદ છે. દ્રવ્યાકિનયની સત્તાગત અપેક્ષાએ જોઈએ તે મારામાં અને તારામાં જરા પણ તફાવત નથી, અને જે પર્યાયાથિકનયે વિચારીએ તે ભેદ અને પેટભેદને પાર નથી. દેવ. મનુષ્ય, નારકી અને તિર્યંચ એના ભેદ છે, અને હાથી, ગાય, બળદ, પોપટ, કાગડે, કબૂતર, સર્પ, શિયાળ વગેરે એના અપરંપાર પેટા ભેદો છે. એમાંથી કઈ નજરે આ જીવ તરફ અને ભગવંત તરફ જોવામાં આવે છે તે ઉપર ઘણે આધાર છે. વસ્તુને જોવા માટે દૃષ્ટિબિંદુ શબ્દાર્થ–મુઝ = મારી. અને પ્રવચન = શાસ્ત્ર, નિશ્ચયનયે પક્ષથી = વાદથી, મતથી. નિશ્ચય = નિશ્ચયનયે ધોરણે. ભેદ = જુદા પડે તેવું સ્વરૂપ. ન કોય = ન કોઈપિ, કોઈ નથી. વિવહારે = વ્યવહાર, વ્યવહારનયે. લખી = જાણીએ. દેખીએ = જોઈએ, અવલોકીએ. ભેદ = જુદા પડવાનું. પ્રતિભેદ = પેટા ભેદ, સામા ભેદ. બહુ = ઘણા. લેય રે= થાય, જણાય, સમજાય. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy