SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦] શ્રી આનંદઘન વીશી આપ તે ધ્રુવપદમાં હંમેશને માટે આરામ કરી રહેલા છે. ધ્રુવપદમાં આરામ કરતા હોય તેની અને મારી વાતની હું સરખામણી કેમ કરું? હું તે પા (3) ભાગે પણ નથી. આપ તે ધ્રુવપદમાં આરામ કરી રહ્યા છે. આ આખું સ્તવન વિચારણા માગે છે અને કોઈ વિભાગ ન બેસે તે પિતાથી વધારે વિદ્વાન કે ગુરુની પાસે તેની સમજણ લેવી, પણ સામાન્ય રીતે વાત બેસાડવા પ્રયત્ન કર્યો છે તે પ્રમાણે અર્થ બેસી જાય તે સારી વાત છે. (૮) ઉપસંહાર આ પ્રમાણે આ આનંદઘનજી (લાભનંદજી)ને નામે કોઈએ બનાવેલ આ પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન પૂર્ણ થયું. તે સ્તવનમાં કર્તાએ પોતાની વિદ્વત્તા દેખાડી છે, પણ તેની ભાષાને અને આનંદઘનજીની ભાષાને જેને પરિચય થયે છે અને શૈલી (slyle)તે જેણે અભ્યાસ કર્યો છે તે આનંદઘનજીએ પ્રથમ ૨૨ સ્તવને માં જે ભાષા વાપરી છે તેનાથી આ ભાષા જુદી પડે છે એ તુરત સમજી શકશે. આ સ્તવન કેઈ વિદ્વાન મુનિએ આનંદઘનજીને નામે બનાવેલ છે અને જોકે જ્ઞાનવિમલસૂરિ આને આનંદઘનના સ્તવન તરીકે જણાવે છે, પણ તે અન્ય કોઈની કૃતિ હોય એમ જરૂર લાગે તેવું છે. આ તેવીશમાં સ્તવનની રચના “ધ્રુવપદ રામી” એ શબ્દ ઉપર થઈ હોય તેમ લાગે છે. તીર્થકર અથવા સામાન્ય કેવળી એક વખત મોક્ષમાં જાય પછી આ સંસારમાં પાછા આવતા નથી, તેઓ અવતાર લેતા નથી; અને તેમનાં જન્મ-મરણને ક્ષય થયે તે જ ધ્રુવપદ છે. આ સિદ્ધના ધ્રુવતાથી હંમેશને માટે એ પદમાં રમણ કરનારા હોય છે. એ ધ્રુવપદને અંગે સ્તવનકારે સારા વિકલ્પ ઉઠાવ્યા છે. તેઓ પ્રથમ તો સવાલ ઉઠાવે છે કે સર્વ વસ્તુ જાણતા હોવાથી તેને સર્વવ્યાપી ગણી શકાય નહિ. હવે સર્વ વ્યાપી ગણવામાં એક મોટો દેષ આવે છે. કેટલાક જીવ અભવ્ય હોય છે, ઘણા જ મિથ્યાત્વી હોય છે. તે પરભાવને કેવળી કે પ્રભુ જાણે ખરા પણ તપ થતા નથી, નહિ તે સર્વવ્યાપી માનવામાં તેઓ પણ મિશ્યામતિ થઈ જાય, આ દષ્ટિબિંદુથી વિચાર કરતાં પ્રભુ કે કેવળી સર્વવ્યાપી નથી. તે તે પિતાની શુદ્ધ દશામાં મસ્ત રહે છે અને ધ્રુવપદમાં આરામ લે છે અને રમણ કરે છે. આ રીતે સર્વ વ્યાપિત્વમાં અનેક દોષે આવે છે તે વિચારી આ સ્તવનમાં એમ બતાવી આપ્યું છે, અને સર્વ વ્યાપિત્વને આખો સિદ્ધાંત જ રદ બાતલ કર્યો છે. આ રીતે આ સ્તવનમાં એક મહાન સિદ્ધાંતનું સ્થાપન કરવામાં આવ્યું છે અને તે રીતે આ સ્તવન ઘણું ઉપયોગી છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે સર્વવ્યાપિન્દુ માનવામાં આવતું નથી, પણ જ્ઞાનની દૃષ્ટિએ સર્વવ્યાપિત્વ છે અને તેમાંથી ખુલાસે મળે છે. અને પારસમણિની વાત તે દંતકથાથી ચાલી આવે છે. તે મણિથી કઈ પણ વસ્તુનું સેનું થઈ જતું હતું. આ વાતનું રહસ્ય આથિક દૃષ્ટિએ બેસે છે, બાકી એવા પારસમણિ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy