SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪૫ ર૩-૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન બતાવ્યું. અને આપ તે નિજ સ્વરૂપમાં રમણ કરતા રહો છે અને આપને પરિણામ પામી પલટનભાવ પામવાને નથી તેથી મને આનંદ થાય છે. આપ ગુણની દષ્ટિએ ક્ષેમકુશળ છે, એ વાત બહુ આનંદદાયક છે. આપનામાં દ્રવ્ય એક જ હોવાથી એને સહભાવી ધર્મ–ગુણની પણ એકતા જ છે અને આપ ક્ષેમકુશળ છે, સ્થિર છે, આનંદમાં છે, એમ જાણી મને હર્ષ થાય છે. આપની આ ગુણકતા છે તે જાણી તે મેળવવા માટે હું પ્રયાસ કરું છું. (૩) પરક્ષેત્રે ગત શેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન, સુત્ર અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહ્યો, નિર્મળતા ગુણમાન. સુવ ધ્રુવ ૪ અર્થ—અન્ય ક્ષેત્રમાં જાણવા લાયક (ય) પદાર્થ હોય તેને જાણવાથી તે પરક્ષેત્રી જ્ઞાન થયું. હવે જ્ઞાન તે પિતાના ક્ષેત્રમાં રહેનાર આત્માને જ થાય છે અને તમે જ તેને અસ્તિભેદે સ્વીકાર્યું છે. આત્માને નિર્મળ કહેલ છે, મેલ વગરને કહ્યો છે. (૪) વિવેચન–પિતાની અવગાહનાથી પરક્ષેત્રમાં જે જ્ઞાન થાય તે પરક્ષેત્રીય જ્ઞાન કહેવાય છે. આ ગાથામાં જ્ઞાનના બે જુદા જ વિભાગો પાડવામાં આવે છે. ય પદાર્થ પિતાની (જ્ઞાનની) અવગાહનામાં ન હોય તે તેને પરક્ષેત્રીય જ્ઞાન કહેવાય, પણ આત્માના તે અસંખ્ય પ્રદેશ છે, અને જ્ઞાનની નિર્મળતા છે તેથી, જેકે ય પદાર્થ જ્ઞાન પાસે આવતું નથી છતાં, તે પરક્ષેત્રીય જ્ઞાન પણ નિજક્ષેત્રીય જ્ઞાન જેવું સ્પષ્ટ રહે છે. જેમ અરીસામાં નિર્મળતા છે અને તેમાં જ્ઞાનને પ્રતિભાસ પડે છે, તેમ આ જ્ઞાનને પણ અરીસાની જેમ પ્રકાશ પડે છે. આ ગાથામાં સ્વક્ષેત્રીય અને પરક્ષેત્રીય એવા જ્ઞાનના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પિતાની અવગાહનાથી અન્ય ક્ષેત્રમાં રહેલ છવ કે અજીવ દ્રવ્યનું જ્ઞાન થાય તેને પરક્ષેત્રીય જ્ઞાન થયું કહેવાય. પણ ગુણી અને ગુણને અભેદ છે તેથી જ્ઞાન તે પિતાના અનંત આત્મપ્રદેશમાં રહેલું છે, એવું જ્ઞાન પણ અસ્તિપણે કહ્યું છે. નિર્મળતા જ્ઞાનને સ્વભાવ છે તેથી એ જ્ઞાનમાં દ્રવ્ય અરીસાની પેઠે દેખાય છે, પણ એમાં જ્ઞાનને ક્ષેત્રે રેય જતું નથી અને જ્ઞાન તે યમાં આવતું નથી. આમાં ગુણગુણીને અભેદ હોવાથી તે સહભાવી જ્ઞાનકધર્મ એક જ છે અને સાથે રહે છે. તે પ્રવ છે અને નિર્મળ હોઈ જ્ઞાન તરીકે પરિણમે છે. પરભાવમાં સર્વવ્યાપીપણું માનતાં આ મેટો દોષ આવે છે. (૪) પાઠાંતર–પરક્ષેત્ર” સ્થાને પ્રતમાં “પર” (બે વાર ) પાઠ છે. “જ્ઞાન” સ્થાને “ગ્યાન' લખે છે. ” સ્થાને બીજી પ્રતમાં “ ખે” લખેલ છે. “થયું” સ્થાને પ્રતમાં થયૂ ” લખેલ છે; જૂની ગુજરાતી છે. તુમે” સ્થાને “મહે” પાઠ પ્રતમાં છે. (૪) શબ્દાર્થ–પર = બીજા ક્ષેત્રમાં, અન્ય ક્ષેત્રમાં. ક્ષેત્ર = ખેતર, સ્થાન, જગા. ગત = ગયેલા. ય = પદાર્થ, જેને જાણી શકાય એવો પદાર્થ, જાણ = સમજવાને પરિણામે. પર ક્ષેત્રે = અન્ય જગએ. થયું = નીપજેલું, ઉત્પન્ન થયેલું. જ્ઞાન = જાણપણું. અસ્તિપણું = છે છે તે રૂપ. નિજ ક્ષેત્ર = પિતાનું ક્ષેત્ર, પિતાને સ્થાને. તમે = તમે. આપે. કો = જણાવ્યું. નિમળતા = મેલ રહિતપણું, નિર્મળ અરીસાપણું. ગુણ = સ્વભાવ. માન = સમજ, જાણે. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy