SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૧ માણસ નમવા ગ્ય છે અને એને જેને તેને અથવા ઉચ્ચને નમવાની જરૂર રહેતી નથી. એક સાર્વજનિક સત્ય જાણવામાં આવે ત્યારે પ્રાણી કેવા હુ†માં આવી જાય છે અને કેવું કેવું ખાલી નાખે છે તેના આ નમૂના છે. આટલા જ્ઞાનથી થયેલા પોતાના આનંદ તે છુપાવી શકતા નથી અને હવે પાતે નમવા યેાગ્ય થયા છે એમ બતાવે છે : પ્રભુના દર્શન અને મેળાપને આવે માટે મહિમા છે. એને જ્ઞાન થયું અને પચ્યું તેના આ હર્ષાગાર છે. આવા અપરંપાર ફળ આપનાર પ્રભુનાં જાતે દર્શન થયાં એ કાંઈ જેવી તેવી ભાગ્યની નિશાની નથી. પ્રાણીને પોતાની જાતને ભૂલી જઈ ઉદ્ગાર કાઢવાની દશા–સ્થિતિમાં તે મૂકી દે છે. જ્ઞાનીના મહિમા આવે છે. જયારે અસાધારણ વાત જાણવા કે સાંભળવામાં આવે ત્યારે પ્રાણી નાચી ઊઠે છે અને તેની સ` ગરીબાઈ નાશ પામે છે, અને તે પગે લાગવાની સ્થિતિમાં આવે છે. મનુષ્યસ્વભાવ જોતાં આમ થવું વાસ્તવિક અને કુદરતી છે, તે નિભેળ સત્ય પણ આપણને સમજાય છે. પ્રભુ અપરંપાર દાન આપનાર છે તે તેા કોઈ પણ તીથંકરના ચરિત્ર પરથી જણાય છે—તેમણે વાર્ષિક દાન આપ્યું તે છદ્મસ્થભાવ વિચારતાં અથવા કેવળજ્ઞાન થયા પછી જ્ઞાનદાન અને ઉપદેશ આપ્યા તે વિચારતાં અને સંક્ષેપમાં શાંતિનું આવું સ્વરૂપ કહી બતાવ્યું તે સાંભળવા જે ભાગ્યશાળી થયેલ હોય તેના ઉદ્ગારા અને હોદ્રેકની સ્થિતિ સારી રીતે સમજવા યાગ્ય છે, અને સમજીને વિચારવા અને વિચારીને આદરવા અને આચરવા ચેાગ્ય છે. (૧૩) શાંતિસરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ-પર-રૂપ રે; ગમમાંહે વિસ્તર ઘણા, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ- ૧૪ અં—શાંતિનું સ્વરૂપ ઘણું ટૂંકામાં ઉપર બતાવ્યું તે પાતારૂપ અને પરરૂપ છે, બાકી એના સંબંધી આગમ-મૂળ ગ્રંથમાં ઘણા વિસ્તાર છે અને તેને શાંતિનાથ ભગવાને કહ્યો છે (પેાતે). (૧૪) ટા—એના વિસ્તાર બહુ છે પણ સંક્ષેપથી શાંતિપદનું સ્વરૂપ કહ્યું, પોતાનું તે પરરૂપે પ્રભુ નાના રૂપે, આગમમાં ઘણા વિસ્તાર કહ્યો છે, શ્રી શાંતિજિનરૂપે. (૧૪) વિવેચન—આવી રીતે શાંતિનું વર્ણન ટૂંકમાં કરવામાં આવ્યું. એ વિષયમાં જો પૂરેપૂરું અવગાહન કરવું હોય તે મૂળ આગમ ગ્રંથા વાંચવા. એમાં ખૂબ વિસ્તારથી એ .. પાઠાંતર—-‘ ઘો’ સ્થાને કહ્યું ઃ પાઢ પ્રતમાં છે, તે એક જ અથ'માં છે. પરરૂપ ' સ્થાને એક પ્રતવાળા ‘પ્રરૂપ' લખે છે. ‘માંહે’ સ્થાને ‘માંહિ' પાઠ બન્ને પ્રતમાં છે, અ` એમ જ રહે છે. ‘ વિસ્તર ’ સ્થાને પ્રતમાં · વિસ્તાર ’ પાઠ છે. ‘ ભૂપ ’ સ્થાને ‘રૂપ' પાઠ પ્રતમાં છે. (૧૪) શબ્દા—શાંતિ = ધીરજ, ધૈય. સંક્ષેપથી = ક્રૂ કામાં. વિસ્તર = લંબાણુ. ધણા = ખૂબ. કથો = મૂળ અસલ જણાવવું. ૪૧ કહ્યો = જણાવ્યો. આગમમાંહી = મૂળસૂત્રોમાં. શાંતિ જન ભૂપ = સોળમા તીથંકર. (૧૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy