SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨] શ્રી આનંદઘન–વીશી દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગસામર્થ્ય ચિત્તભાવે જે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ. ૮ અર્થ—આ શાંતિવાંછુ પ્રાણી ખરાબ માણસની સોબત છોડી દઈ, સારા ગુરુઓના ચેલાઓને સેવે, ભજે. તેના મનમાં ગની સમર્થાઈ તે ઘણી જ હોય. આ માણસ ચક્કસ અંતે ને આખરે તેને મેળવે જ, પામી જાય. (૮) ટો–વળી શું કહે છે? દુષ્ટ જન--અસદુગ્રાહીની સંગતિ પરહરે, સુપરંપરાને ભજે–વે. મન, વચન, કાય યોગ સામર્થ્ય ભાવે તથા ઈચ્છા ૧, શાસ્ત્ર ૨, સામર્થ્ય ૩–યોગ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મુગતિનિદાનકરણ તે જ વેગને સેવે, એવું શાંતિપદ ભાવે. (૮) વિવેચન–જે હલકા સ્વભાવના લેક હોય, જાતે દયાહીન હોય, નીચ હોય તેવા માણસે સાથે એ નેહ સંબંધ ન કરે, જે શાંતિવાછક હોય તે કૂર, હલકા માણસ સાથે ભળે નહિ અને તેને અને હલકા માણસને મેળ ખાય નહિ. માણસ જેવી સેબત રાખે છે તે તે હોય છે. શાંત માણસનું મન સ્વાભાવિક રીતે જ નીચ માણસ સાથે મળતું નથી. સોબત એકસરખા મતવાળા માણસની જામે છે. મિત્ર પાસે–બતી પાસે–તે માણસ પોતાની ગુપ્ત વાત કરે છે, સેબતીની સલાહ લે છે અને સરખેસરખાની પ્રીતિ જ જામે છે. જ્યાં નજર જ જુદી હોય ત્યાં મેળ બેસતું નથી. શાંતિને વાંછુ માણસ એવા હલકા સ્વભાવના માણસને પરિચય કરે નહિ અને કરે તે લાંબે વખત નભે નહિ. અને એ શાંતિવાંછુ માણસ સારા કુટુંબના માણસને સેવે છે. એને સારા કુળના માણસે માટે પક્ષપાત હોય છે. તે તેની સેવા-ભક્તિ કરવામાં પણ મોજ માણે છે અને પડી-આખડીને તેની નોકરી સ્વીકારે છે. એનું મન તુચ્છ ન હોવાથી એને સારા કુટુંબના માણસે તરફ પ્રેમ અને પક્ષપાત હોય છે. એ સારા માણસ પર વારી જાય છે અને તેની ભક્તિ કરવામાં રાજી રાજી થઈ જાય છે. બાકી, પિતાને મોટા માનનારા હલકા માણસની સોબત એ કદી કરતું નથી, અને એના તરફ નૈસર્ગિક રીતે જ તેને અભાવ હોય છે. અને મન-વચન-કાયાના યોગોને કબજે કરવા, અને ગસામર્થ્ય બતાવવું, તેના તરફ તેનું વલણ જ હોય છે. તે યોગસામર્થ્યની વાત આવે ત્યારે તેને પકડી પાડે છે અને તેના પાઠાંતર—પરિહરી' સ્થાને પ્રતમાં “પરિહરે ” પાઠ છે. “ધર” સ્થાને “ધરો ” પાઠ એક પ્રતમાં છે. (૮) | શબ્દાથદુટ = ખરાબ, હલકે, નીચ. જન = માણસ, મનુષ્ય. સંગતિ = સબત, સંગ, મળવું તે. પરિહરી = 10 દઈ, મૂકી દઈ, મૂકી. ભજે = તાબે રહે, સે. સુગુરુ = ઉત્તમ ગુરુનો. સંતાન = શિષ્ય, ચેલો. જોગ = રોગ, મેક્ષની સાથે આત્માને જોડે છે. સામર્થ = શક્તિ (ટેકનીકલ), યોગશક્તિ. ચિત્ત = મન, અંદરનું. ભાવ = અંદરની ઇચ્છી. ધરે = ધારણ કરી દે, પામે, મેળવે. મુગતિ = મુક્તિ, મોક્ષ. નિદાન = જરૂર, છેવટે. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy