SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન આંતરા—છેટાપણું સંબંધ—આ છઠ્ઠા સ્તવનમાં પ્રભુ અને મારી વચ્ચે પડેલા આંતરાની વાત કરી છે તે કલ્પિત નથી, વાસ્તવિક હકીકત છે. એ આંતરા દૂર કરવાના અહીં ઉપાય વિચારાય છે, અને ચેતનને ખાતરી છે કે વહેલા-માડો તે આંતરે ભાંગશે. એ ઉપાયે કયા છે અને તેને કારગત કરવા તે આ સ્તવનમાં વિચારવામાં આવ્યું છે. આપણે તેને સ્તવનકર્તાના શબ્દોમાં જ વિચારીએ. સ્તવન સ્વયં પરિપૂર્ણ છે અને ખૂબ વિચારવા લાયક છે. સ્તવન (રાગ–મારુ તથા સિ ંધુએ; ચાંદલીઆ, સ ંદેશા કહેજે મારા ! તને—એ દેશી) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' રે, કિમ ભાંજે ભગવત ? કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમત. પદ્મપ્રભ૦ ૧. અ—હે પદ્મપ્રભુ ! હે જિનદેવ ! મારું અને તમારું જે છેટું પડી ગયેલું છે તે હે ભગવત ! કેવી રીતે દૂર થાય? એ આંતરો કેમ ટળે ? ક"ની પરિપકવતા જોઈને કોઈ પણ ડાહ્યા માણસે એવું–ક વિપાકનું કારણ જાણી એનેા જવાબ આપ્યા (કમ પાકે ત્યારે તે તેનાં ફળ આપે, આ કર્માંના વિપાકમાં તેનું કારણ છે, એમ કોઈ સમજુ બુદ્ધિમાને કહ્યું. એટલે એમાં કર્મીના વિપાક જ છે અને ક`વિપાકે એ આંતર ભાગે એમ તેણે જણાવ્યું.) (૧) : ટમે—આ સ્તવનના અથ કરતાં જ્ઞાનવિમળસૂરિ કહે છે (અર્વાચીન ગુજરાતીમાં) : એવા શ્રી પરમાત્મા શ્રી સુમતિનાથ આપણે બહિરાત્મપણું ટાળી અંતરાત્મા આત્મામાં વસે તે વારે પરમાત્મા થઇએ. શ્રી વીતરાગ પરમાત્મા અને સ'સારી અહિરાત્મા તેની વચ્ચે અંતર છે તે કહે છે. છઠ્ઠા હે શ્રી પદ્મપ્રભુ જિન ! એવું જે આંતરું તારી અને મારી વચ્ચે છે, તમે * પાઠાંતર— પદ્મ ' તે સ્થાને એક પ્રતમાં · પદમ ’ શબ્દ છે. ‘ ભગવંત ’તે સ્થાને એક પ્રતમાં ‘ અરિહ’ત ’ શબ્દ છે. ‘ જોઈ તે રે ' સ્થાને ‘ જોઇ ને રે' એવા પાઠ એક પ્રતમાં છે. ‘ મતિમ ંત ’ તે સ્થાને એક પ્રતમાં · મતિવંત ’પાઠ છે. (૧) શબ્દા પદ્મપ્રભ = છઠ્ઠા તીથંકર, છઠ્ઠા ભગવાન; તુજમુજ = તારું-મારું, તમારું અને મારું, આંતરું= અંતર, છેટાપણું, ફેર. કિમ = કેમ, કઈ રીતે ? ભાંજે = ભાંગે, મટે, એને છેડે આવે. ભગવ ત = ભગવાન, નસીબદાર, સર્વાંતે નમન યેાગ્ય. કમ'વિપાકે = મ'ના પરિપાક, કર્યાંનુ પાકવું તે, મ'નું ફળ. જોઈ ને = જાણીને, જ્ઞાન વડે સમજીને. મતિમંત = બુદ્ધિમાન, હુશિયાર, જેણે `નાં ફળ જાણ્યાં છે તે. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy