SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : શ્રી અભિન’જ્જૈન જિન સ્તવન [ ૧૨૭ અતના પૂર્વપક્ષ-ઉત્તરપક્ષના ઝઘડાઓ દ્વારા મનમાં ધારણા કરીને જોઇએ તો સૃષ્ટિબિન્દુના આખા સવાલ ઘણા આકશે, કઠણ અને ગમ ન પડે તેવા મુશ્કેલ દેખાય છે. અને આગમના કથનને અંગે જો ગુરુગમ ન હોય તો એ તા ભારે આકરો-વિખવાદ ઝગડા થઈ જાય છે. ( અથવા અત્યારે એવા ગુરુગમ આપે તેવા કોઇ નથી એટલે એ રીતે પણ ભારે આકરું ભયસ્થાન દેખાઈ આવે છે.) (૩) ટો—હેતુ કારણાદિકના વિવાદ ચિત્તમાં ધરીને જોઇએ, વિચારીએ તેા નયવાદ અત્યંત ગુહીર ( ગુહ્યુ–ગૂઢ) છે અને આગમવાદે જોઇએ તે ગુરુગમ-ગુરુપર'પરાના માર્ગ ન પામીએ એ જ મોટો વિષવાદ મનમાં ઉપજે છે. (૩) અને વિવેચન—ત્યારે આપણને માલૂમ પડે છે કે સામાન્ય રીતે દનપ્રાપ્તિ દોહ્યલી સČથા નિણ ય થવા એ એથી પણ વધારે મુશ્કેલ છે. એમાં આવી પડતા દોષો અને અજ્ઞાનની અધતા અથવા દુરાગ્રહના કેફ સાચા દનની પ્રાપ્તિ આડે આવે છે. ત્યારે હવે શું કરવું ? દનપ્રાપ્તિ વગર મુક્તિ નથી અને મુક્તિ ન થાય ત્યાં સુધી આ નથી; તે પછી દર્શનની પિછાણુ કયે રસ્તે કરવી ? ત્યારે મોટા વિદ્વાનને ચર્ચા કરતા સાંભળીને મનમાં એમ આવે કે દર્શનપ્રાપ્તિને માટે તક કે ન્યાયના આશ્રય લીધે। હોય તે પથડો નિહાળવાના ઉપાય કદાચ હસ્તગત થાય; ત્યાં તે હમણાં જ વિચારી ગયેલ આનંદઘન મહારાજનું સૂત્ર મરણમાં આવે છે કે : તવિચારે રે વાદપરંપરા રે, પાર ન પહાંચે રે કાય.” (સ્તવન ૨, કડી ૪) ત્યાં આ મુદ્દા પર વિચાર કર્યા હતા. ત્યાં જણાવ્યું હતું કે તર્કની વિચારણામાં અથવા તર્ક દ્વારા પથના દર્શનમાં તે વાદવિવાદ જ ચાલે છે અને સાચું રહસ્ય વાદવિવાદની ઝડીમાં સપડાઈ જઈ પ્રાણીને ગાળ ચક્કરમાં નાખી દે છે. અહીં તર્ક કે ન્યાયશાસ્ત્રને નિરર્થક બતાવવાના આશય નથી, હોઇ શકે પણ નહિ; પણ કાચી બુદ્ધિના સંસારરસિયા પ્રાણી જ્યારે પેાતાનું બુદ્ધિબળ બતાવવા મંડી જાય છે ત્યારે સત્યશેાધનની નિષ્ઠાને બદલે પોતાનું હોય તે ખરું કરવાની લાલચમાં પડી જાય છે અને પછી તે ભ્રામક દલીલેા, મરડી-મચડીને કરાતા અર્થા અને હેતુને બદલે હેત્વાભાસાના રાફડો ફાટી નીકળે છે અને સત્યશેાધન કે માષ્ટિને બદલે પેાતાના અભિપ્રાયને સાચા કરવાને માટે છળના અનેક પ્રકારોને આશ્રય લેવામાં આવે છે અને અતિ ઉપયેગી ન્યાય કે તર્કશાસ્ત્રની દલીલખાજી ઊલટી દનપ્રાપ્તિને કોઈ કોઈ વાર વધારે દોહ્યલી મનાવે છે. 66 હરિભદ્રસૂરિ મહારાજ કહે છે તેમ વાદ અને પ્રતિવાદ સામસામી કરતાં તત્ત્વને પાર પમાતા નથી અને તેમાં તે તલ પીલનાર બળદની ગતિને અનુસાર જરા પણ આગળ વધી શકાતું નથી. . वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । તવામાં નૈવ ક્ઝિન્તિ સીવીયર્ હતૌ॥ યાગબિન્દુ, શ્લાક ૬૭.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy