SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રરૂવ - વ્યરૂપ (કિ.) (અવ્યક્તરૂપી જીવ, આત્મા) નવતત્ત્વાદિ ગ્રંથોમાં આત્માને અપેક્ષાએ રૂપી અને અપેક્ષાએ અરૂપી પણ કહેલો છે. આત્મા જયારે દેહધારી હોય છે ત્યારે તે રૂપી તરીકે જણાય છે, પરંતુ વિગ્રહગતિમાં અને સિદ્ધિગતિમાં પુગલ શરીરનો અભાવ હોવાથી આત્મા અરૂપી છે. ઝવ્વત્તિય - સવ્ય (ઈ.) (સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી મત, નિદ્વવવિશેષ) બ્રથ - વ્યય (ઈ.). (1. નાશ ન પામનાર, અખંડ, શાશ્વત 2. દ્વાદશાંગ શાસ્ત્ર) હાથમાંથી ગ્લાસ પડીને ઝૂડી ગયો. આયુષ્ય પુરું થતાં આત્મા નીકળી ગયો શરીર નાશ પામ્યું. ભૂકંપ આવ્યો મકાન નાશ પામ્યું. મૃત્યુ થતાં જ બધા સંબંધો નાશ પામ્યાં. જગતના બધા જ પગલો અને ભાવો નાશવંત છે. એક માત્ર આત્મા અને તેના જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો શાશ્વત અને અનાશવંત છે. તે અનાદિકાળથી જે હતાં આવનારા અનાદિકાળ સુધી પણ એ જ રહેશે. अव्यवसिय - अव्यवसित (त्रि.) (1. નિશ્ચય વગરનો 2. પરાક્રમરહિત) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “પરાક્રમ કે નિશ્ચય વગરના આત્મા માટે ત્રણ સ્થાન અહિત માટે, દુખ માટે, એકલ્યાણના માટે તથા અશુભકર્મબંધના માટે થાય છે. 1. શંકા 2. કાંક્ષા તથા 3. વિચિકિત્સા આ ત્રણ સ્થાન જીવ માટે અહિતકર છે. શંકાદિને પ્રાપ્ત આત્મા ફળના પ્રતિ શંકાયુક્ત બને છે. કલુષભાવને પ્રાપ્ત કરે છે. તેમજ કલુષભાવને પામેલ જીવ જિનશાસન પ્રતિ શ્રદ્ધારહિત થાય છે. પંચમહાવ્રતના પાલન પ્રતિ આળસી બનીને પોતાના આત્માનું અહિત કરે છે.” વ્યસન - વ્યસન (ઈ.) (પક્ષનો બારમો દિવસ, બારસનું એક નામ) બ્રઢ - વ્યથ (.) (1. દેવાદિના ઉપસર્ગથી ભય ન પામવું 2. શુક્લધ્યાનનું એક આલંબન, પીડાનો અભાવ, અવ્યથા). શુભધ્યાનમાં આરઢ થયેલા જીવને પતિત કરવા માટે દેવ, મનુષ્ય કે તિર્યંચાદિ દ્વારા જે પીડા આપવામાં આવે તેને ઉપસર્ગ. કહેવાય છે. તે ઉપસર્ગથી જીવ ભયભીત, ચલિત અને વ્યથિત થઇ જાય છે. કિંતુ શુક્લધ્યાનના આલંબને જીવ તેવી પીડા અને વ્યથાને સર્વથા અનુભવતો નથી. શુક્લધ્યાનારૂઢ આત્મા તે સમયે બાહ્યજગતના સર્વભાવોથી અનભિન્ન હોય છે. અન્નદિય - વ્યથા (f). (1. જેને કોઇ દુખ ન આપે તે 2. અદીનમન છે જેનું તે, ઉદારચિત્તવાળો 3. ધીર) જે જીવ ધર્મના ભાવથી અજાણ છે. જેનું ચિત્ત દીનતાને પામેલું છે તેવો જીવ પગલે પગલે વિષાદને પામે છે. કિંતુ જે પૈર્યવાનું અને જે કોઇપણ પરિસ્થિતિમાં હાર નથી માનતો. તેવા અદીનમન જીવો કદાપિ અવસ્થાવશ કે અન્યજીવો દ્વારા પીડાને પામતાં નથી. અબ્રાદ્ધ - વ્યાવિદ્ધ (2) (અવિપરીત, સૂત્રગુણનો એક ભેદ) સૂત્રના અધ્યાપન તથા પઠનના ગુણોમાં અવ્યાવિદ્ધ નામક ગુણનો ભેદ આવે છે. સુત્રમાં કહેલ પાઠમાં ઉપરના પાઠને નીચેના પાઠ સાથે અને નીચેના પાઠને ઉપરના પાઠ સાથે મિશ્રિત કર્યા વિના પઠન કરવું તે અવ્યાવિદ્ધ નામે સૂત્રગુણ છે. અબ્રાફ દ્વ9ર વ્યાવિક્તાક્ષર (1) (સૂત્રગુણનો એક ભેદ, અક્ષરનો ભેદ કરવામાં નથી આવ્યો જેમાં તેવો સૂત્રનો પાઠ) 128
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy