SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષામાં લખાયેલા તેમના પુસ્તકો જીવનને ધર્મમય બનાવવા સુંદર પ્રેરણાઓ આપે છે. સૌથી પહેલું પુસ્તક તેમણે લખ્યું તેનું નામ “સંસ્કારધન’ છે. તેમાં તેમણે ધર્મના પ્રાથમિકજ્ઞાનને લગતા 180 પાઠો લખ્યા છે. તે વખતે તેમનું તે પુસ્તક બધી પાઠશાળાઓમાં ફરજિયાતપણે ભણાવાતું. તે પુસ્તકની લગભગ બે લાખ જેટલી નકલો છપાઈ હતી. * પ્રિય ગ્રંથ : “આચારાંગસૂત્ર' તેમનો પ્રિય ગ્રંથ હતો. તેથી આત્માને તે ગ્રંથથી ભાવિત કરવા તેમણે “આચારાંગસૂત્ર સટીક સો વાર વાચેલું. * સંયમનિષ્ઠા : ચારિત્રપાલનમાં પણ તેઓ કટ્ટર હતા. દક્ષિણમાં સોનાની ખાણોના પ્રદેશ કેજ્યફ થી ર૦૦ કિ.મી. દૂર મદ્રાસ તેમને જવાનું હતું. મદ્રાસના સંઘે તેમના માટે કેજ્યફમાં સાથે રાખવા માટે રસોડું વગેરે વ્યવસ્થા મોકલી. મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે તે વ્યવસ્થા રાખવાની “ના” પાડી. તેમણે તે વ્યવસ્થા પાછી મોકલી દીધી. આગળ-પાછળના ગામવાળા બધી વ્યવસ્થા સંભાળી લેતા. તેમની સંયમનિષ્ઠા જોઈને મદ્રાસનો સંઘ ખૂબ પ્રભાવિત થયો. મદ્રાસના સંઘે મદ્રાસમાં તેમનું ઠાઠ-માઠથી ભવ્ય સામૈયું કરીને તેમનો પ્રવેશ કરાવ્યો. સંઘજનોના હૃદયમાં તેમની એક ભવ્યછાપ અંકિત થઈ. * તપ : માથાના દુઃખાવાના કારણે તેઓ વિશેષ તપ કરી શકતા ન હતા. તેમનો ત્યાગ મહાન હતો. જીવનભર પાંચ દ્રવ્યોનો અભિગ્રહ એ જ એમનો મોટો તપ હતો. મોટા મોટા તપસ્વીઓ માટે પણ આવો અભિગ્રહ દુષ્કર છે. માથાની પીડા વચ્ચે સહન કરીને પણ તેઓ સંવત્સરીનો ઉપવાસ અવશ્ય કરતા. * પ્રભાવના : રાજસ્થાનમાં પલ્લીવાલ પ્રદેશમાં ઘણી તકલીફો વેઠીને પણ તેઓ એક વર્ષ રહ્યા. ત્યાં નદબઈ વગેરે શહેરોમાં તેમણે 5 દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી. * માંદગી : એક વાર નડિયાદથી તેઓ અમદાવાદ તરફ આવતા હતા. વિહારમાં વચ્ચે મેદાનમાં તેઓ સ્પંડિલ ગયા. ત્યાં ચક્કર આવતા ...46.... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
SR No.032875
Book TitleMandir
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherRamjibhai Veljibhai Gala
Publication Year2018
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy