SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ જ છે. શાસનના કાર્યો નહીં કરવામાં કે મુલતવી રાખવામાં સો ટકા નુકસાન છે, લાભ છે જ નહીં. ચાલો, “શાસનકાર્યો પહેલા, સંસારકાર્યો પછી.” આ સૂત્ર મુજબ જીવન જીવીએ. ક્રોધનું ભયંકર ફળ કુટ અને ઉત્કર્ટ નામના બે બ્રાહ્મણ અધ્યાપકો હતા. તેમણે દીક્ષા લીધી. તેઓ કુણાલા નગરમાં નાળા પાસે કાઉસ્સગ્નમાં રહ્યા. તેમના તપના પ્રભાવથી આકર્ષાયેલ દેવ ચોમાસામાં તેમને પાણીનો ઉપદ્રવ ન થાય તે માટે નગરીમાં વરસાદ વરસાવતો નહોતો, નગરીની બહાર વરસાદ વરસાવતો હતો. લોકો મુનિઓને વારંવાર કહેતા, “તમારા તપના પ્રભાવથી નગરીમાં વરસાદ પડતો નથી. માટે તમે બીજે પધારો.” લોકોએ મુનિઓને આમ કહીને નગરીની બહાર મોકલવાના પ્રયત્નો કર્યા. તેથી મુનિઓ ગુસ્સે થઈ ગયા. કુર્ટે કહ્યું, “હે દેવ ! કુણાલામાં વરસ.' ઉત્કર્ટે કહ્યું, "15 દિવસ સુધી.” કુર્ટે કહ્યું, “મુશળધારાએ વરસ.' ઉત્કર્ટે કહ્યું, “જેમ રાત્રે તેમ દિવસે.' આમ કહી તે બન્ને નગરીની બહાર નીકળી ગયા. કુણાલામાં 15 દિવસ સુધી મુશળધાર વરસાદ પડ્યો. સંપૂર્ણ નગરી પાણીમાં ડૂબી ગઈ. આ બનાવ પછી ત્રીજા વરસે સાકેતનગરમાં બન્ને મુનિઓ કાળ કરીને સાતમી નરકના “કાલ' નરકાવાસમાં રર સાગરોપમની સ્થિતિવાળા નારક તરીકે ઉત્પન્ન થયા. આમ ક્રોધને લીધે બન્ને મુનિઓ સાતમી નરકમાં ગયા. ક્રોધનું આવું ભયંકર સ્વરૂપ જાણીને ક્રોધને દૂરથી તજવો. ક્રોધનો સંગ કરનાર ભયંકર ફળને ભોગવે છે. ક્રોધનું ભયંકર ફળ
SR No.032875
Book TitleMandir
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherRamjibhai Veljibhai Gala
Publication Year2018
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy