SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ 682 ધન્યકુમાર સરિત્ર. જાણે કે પૂર્વે કોઈવાર મેળવ્યા ન હોય તેવી રીતે કામભેગમાં મૂર્શિત થાય છે. ભેગમાં રસિક થયેલા તેઓ ભોગ ભોગવે છે, એક ક્ષણ માત્ર પણ વિષને છોડતા નથી, પિતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભેગે ભેળવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિધન હોય છે, તે વિષય રૂપી આશાના પિપાસિત થઈને અઢાર પાપથાનકે સેવે છે; પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી, તે બહુ પાપ ઉપાઈને નરકનિગોદાદિમાં ભટકે છે. તમે તે રત્નને કુક્ષિમાં ધારણ કરનાર છે, વિર પુરૂષને જન્મ આપનાર છે, કારણ કે તમારે કુળદીપક તે. પુન્યના એક નિધિરૂપ થયે છે. જિનેશ્વર તથા ચક્રીપણું–બંને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય તે પણ તમારા પુત્રની જેવા ભેગ ભેગવતા નથી, કારણકે સુવર્ણ અને રત્નને નિર્માલ્ય ગણીને કોઈએ ફેંકી દીધા હેાયતજી દીધા હોય તેવું કંઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી; તે તમારા પુત્રે નિઃશંકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભેગ ભેળવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભેગને તજી દીધા છે. શ્રીવરપ્રભુની પાસે સુરેંદ્ર નરેંદ્રાદિ કટિ પ્રાણીઓને દુર્જય તથા જગતનાં લેકને દુઃખ આપનાર મેહનરેંદ્રને એક ક્ષણમાત્રમાં તમારા પુત્રે જીતી લીધું છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે, બીજાનું નથી. વળી મેહનું ઉન્મુલન કરીને સિંહની માફક ચારિત્ર લઈ, સિંહની માફક તે પાળી, અશેષ કમળને ઉમૂલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રી ગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરો છો? જે તે સંસારઅરણ્યમાં પડ્યો હોત તે તેની ચિંતા કરવાની હતી, એમણે તે સમસ્ત જન્મ–જરા–મરણ-રોગ-શેકાદિથી
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy