SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પવિ. 33 આને કયાંતો ભૂત વળગ્યું છે અથવા વાયુની વિકૃતિ થઈ છે, માટે આને છાનામાના નવ શળીઓ તપાવી નવ અંગે એકી સાથે ડામ દઈ ઘો એટલે તે સ્વસ્થ થઈ જશે અને તેમનહિ કરે તે તેની બુદ્ધિ ફરી જતાં મામલે હાથમાંથી વહ્યો જશે, માટે જલદી કરે.” - હવે છોકરાઓએ તે તેની સલાહ પ્રમાણે નવ શળીઓ તયાર કરી. પછી સગાંવહાલાએ તે બ્રાહ્મણને બરાબર પકડી રાખી એક સાથે નવે અંગે ડામ દઈ દીધા. પછી કેઈએ પૂછયું કે–આ પ્રમાણે કરવા છતાં જો ઠેકાણે ન આવે તે પછી શું કરવું? તેના જવાબમાં પેલાએ કહ્યું કે તે પછી બેડી નાંખી એક અંધારીઆ એરડામાં એકવીશ દીવસ સુધી ભૂખે ને તર રાખે અને તેના ઉપર પહેરે રાખે.” હવે પેલા બ્રાહ્મણે વિચાર્યું કે જે થવાનું હતું તે તે થયું. જે હજુ આવે ને આ હઠ ચાલુ રાખીશ, તે નાહક બેડીમાં પડીશ, દેવનું વચન મિથ્યા થતું જ નથી. આ પ્રમાણે વિચારી વાચાળતા છોડી દઈને તે ખેટી મૂછ ખાઈ ગયે. ચાર ઘડી તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગે હોય તેમ પુત્રોને પૂછવા લાગે કે--“અરે છોકરાઓ ! આ બધા માણસે કેમ ભેગા થયા છે? મારી આંગળી તથા શરીર ઉપર આ ઘરેણાંઓ કયાંથી? છેકરાઓએ કહ્યું કે--પિતાજી! તમારામાં ભૂત અથવા તે વાને પ્રવેશ થયું હતું. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણે ખોટે હાહાર કરી મૂકો કે–અરે મેં શું કરી નાંખ્યું; આટલા બધા રૂપિયા પાછા ક્યાંથી મળશે?” આ પ્રમાણે તેને પશ્ચાત્તાપ કરતે જોઈને બધાએ વિચાર્યું કે–“હવે ઠેકાણે આવી ગયા!!” ત્યાર પછી તે બ્રાહ્મણે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy