SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પવિ. 655 અને રાજ હણી નાખશે, અને પચંદ્રિયના વધથી ખરેખર મને પાપ લાગશે, તેથી મેં ગ્રહણ કરેલ નિયમ મલિન થશે, પાપથી ઉપાર્જન કરેલ યશ દુર્ગતિના હેતુભૂત થાય છે. તેથી આને જીવતે છોડી મૂકવ તેજ ઉત્તમ છે.” આ પ્રમાણે વિચારીને તેને જીવતે છેડી દીધું. તે જ ક્ષણે તે ચેર કેઈ સ્થળે નાશી ગયે. કુમારે આ વાત ગુપ્ત રાખવા માટે નોકરને કહ્યું કે–“તમારે રાજાની પાસે ચારને મૂકી દીધે, તે વાત ન કહેવી. સવારે સર્વે નેકને લાવ્યા, તે વખતે સર્વે ચાર હાથમાં નહીં આવવાથી વિલખા થઇને રાજાને નમીને ઉભા રહ્યા. રાજાએ કહ્યું કે-“ અરે સિપાઈઓ ! ચોર હાથમાં ન આ ?" તે સર્વેએ કહ્યું કે–“સ્વામિન ! ન આવ્યું.” સભા જ્યારે વિસર્જન થઈ ત્યારે કુમારના કોઈ નેકરે રાજા પાસે વહાલા થવાને તથા રાજાના દંડના ભયથી રાજા પાસે કુમારે ચેરને છોડી દીધાની બધી હકીકત છાની રીતે કહી દીધી. તે સાંભળીને કે પાયમાન થયેલા રાજાએ વસ્ત્ર આભરણાદિ લઈલઇને કુમારને દેશવટે આપે. તે પોતાના કર્મની નિંદા કરતા માગે ચાલવા લાગે, અને વિચારવા લાગે કે- “મેંપૂર્વે દુષ્ટ ભાવથી ઘણા પંચંદ્રિય જીવોનું મારણ, તાડન વિગેરે દ્વારા બહુ પાપ કર્યું છે તેનાં આ ફળ છે. આટલાથી હું હજુ કેમ છુટીશ? કારણકે આગળ શું થશે તે હું જાણતો નથી ! કહ્યું છે કે–અતિ ઉગ્ર પુન્ય પાપનું ફળ આ ભવમાં જ મળે છે. " આ પ્રમાણે આત્મનિંદા કરતે તે વનમાં ફરવા લાગે. ફળાદિકવડે પ્રાણવૃત્તિ કરતાં કેટલાક દિવસ સુધી ફરીને તે ભદ્દીલપુર નામે ગામ પાસે આવ્યું અને સુધાથી પીડાયેલા તે કુમારે નગરમાં પ્રવેશ કર્યો. “ભવ્ય છે ! જુઓ!રૂ થયેલ વિધિ શું કરતે નથી? કહ્યું છે કે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy