SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પવિ. * 39 હને યોગ્ય આહાર મેળવીને ઉપાશ્રયે તરફ પાછા જતા હેય ત્યારે ઘેરથી બહાર નીકળીને બહુ મોટા વરથી બહુ માન દેખાડને વિવિધ રીતે આમંત્રણ કરતા હતા. તે સાંભળીને લેકે જાણતા કે–“અહે! આની દાનરૂચિ કેવી સરસ છે? સાધુઓને તે નિર્વાહાગ્ય મળ્યું એટલે તેઓ વધારે લેતા નથી, તેઓ તે નિરપૃહી છે. કેઈ વખત સાધુને પોતે આહાર કર્યા પછી આમંત્રણ કરવા જતા હતા. કેઈ વખતે આપવાની ઈચ્છા ન હોય ત્યારે બેલતે કે–“ આ આહાર કરવા લાયક શુદ્ધ વસ્તુ છે, પરંતુ પારકી છે. તે ધણી દાનની રૂચિવાળે છે તેથી “અપાચેલ છે તેમ સાંભળીને ખુશી થશે, તેથી જો આપને કલ્પતું હોય તે સુખેથી ગ્રહણ કરે.” તેમ સાંભળીને જિતેંદ્રિય સાધુ એ બેલતા કે- " એ અમારે ક૯પતું નથી.” ત્યારે તે કહે કે–“તમને આપ્યા વગર હું કેવી રીતે તે વસ્તુ ખાઈશ અને તે આવશે એટલે આગ્રહપૂર્વક તે મને ખાવાનું કહેરા, તેને નિષેધવાને–ના પાડવાને હું સમર્થ નથી, તે વખતે શું વ્યવસ્થા થશ?” ત્યારે સાધુઓ કહેતાં કે-“તેમ થાય તે તમને યથારૂચિ ખાવાની છુટ છે.” ત્યારે તે વસ્તુ ખાતો હતો. કોઈ વખતે અમુક પુરૂષ આપે છે, શું હું તેનાથી હીન છું?” તે પ્રમાણે અભિમાન તથા માત્સર્યથી પારકાની ઈર્ષ્યા કરતે હતો; અથવા “નહિં ઈચ્છતાં છતાં સાધુઓ આવ્યા, જે વસ્તુની સાધુઓ યાચના કરવા નીકળ્યા છે, તે વસ્તુ મુખ નજીકજ પડેલી છે, તેઓ દેખેલી વસ્તુ માગે, પછી તે વહેરાવ્યા વિના કેમ ચાલે? માટે તેમની દ્રષ્ટિએ પડવા દેવી તેજ સારૂં નથી. સાધુઓ દેખે તે તરતજ યાચના કરે છે, તેથી વસ્તુ દેખાડવી જ નહિ.” આમ બેલતે હતા. આ પ્રમાણે કેઈ કેઈ વખત કૃપણુતાના દોષથી તથા
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy