SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ 612 ધન્યકુમાર ચરિત્ર. તેને સુવર્ણપુરૂષ બનશે અને હમણાં તે તે કાણપુરૂષને મૂકી દઈને મારી પીઠ ઉપરજ દાણા નાખે છે, તેથી શું સમજવું ? મારો મરણ માટે જ કદાચ આ પ્રવૃત્તિ કેમ કરે નહિ હેય? આનું કથન જે સાચું હોય તે જેને સુવર્ણપુરૂષ બનાવે છે તેના ઉપરજ-તે લાકડાના પુરૂષ ઉપરજ દાણ છાંટવા જોઈએ; પરંતુ આ તે મારા ઉપર દાણા નાંખે છે, તેથી એના વિચાર સારા દેખાતા નથી. વળી “જટિલને વિશ્વાસ કરે નહિ.” એવું નીતિ શાસ્ત્રમાં કહેલું છે.” આ પ્રમાણે વિચારીને સર્વ આપત્તિનું નિવારણ કરવામાં સમર્થ, સકળ શ્રતના સારરૂપ અને નમસ્કાર મહામંત્રવડે ગુંથેલું 3 ના રિહંતા, શિર સિનિ થિત એ પ્રથમ પદવાળું વજન પંજર સ્તોત્ર ગણીને તેના વડે તેણે પિતાની આત્મરક્ષા કરી. પિતાના સર્વે અગેને વાપંજર તેત્રમાં આ વેલા અંગન્યાસવડે અભેદ્ય બનાવીને પછી તેનું જ ધ્યાન કરતે તે શાંત થઈને બેઠો. યેગી પણ એકસે આઠ વખત દાણા નાખવાની વિધિ પૂર્ણ કરીને ખગ તૈયાર કરવા લાગે તેવારે ધર્મ દરે વક્ર દષ્ટિથી તેને ખગ્ન તૈયાર કરે છે. એટલે તેણે વિ. ચાર્યું કે-“આ જરૂર મારા વધને માટેજ ખડગ તયાર કરે છે, માટે હવે કાંઈ વિલંબ કરવા જેવું નથી.” આ પ્રમાણે વિચારીને તાત્કાળિક બુદ્ધિ ઉત્પન્ન થવાથી તરતજ ગુપ્ત રાખેલ ખડગ ઉપાડીને યેગીની સામે જઈ ખઞવડે તેને હણીને કુંડમાં નાખે એટલે મંત્રક્રિયાના પ્રભાવથી વેગીનું શરીર સુવર્ણપુરુષરૂપ થઈ ગયું, કારણ કે જે નિરપરાધી એવા પરની ઉપર દુષ્ટતા ચિતવે છે, તે પતેજ દુઃખમાં પડે છે, તેમાં જરા પણ સંદેહ નથી.' પછી જર્મદત્તે વિચાર કરો કે “આ પાપીઓ પહેલેથી જ કપરકળાવડે ધર્મમાર્ગની વચનરચનાથી મને ઠગ્યો છે, પરંતુ અતિ પાય
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy