SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 18 ધન્યકુમાર ચરિત્ર. માણસ વિચારવા લાગ્યું કે–અહે! અઢળક ધનના સ્વામી આ બ્રાહ્મણનું સ્વરૂપ તે જુઓ ! ધનને તે શું કરશે? ધિક્કાર છે તેના અવતારને ! બિચારો પામેલ મનુષ્ય ભવ હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતાં ભાઈસાહેબ વિદાય થઈ જશે. ધન તે અહિંજ પડયું રહેશે. ધન કેઈની સાથે ગયું નથી, જતું નથી અને જવાનું પણ નથી.” આ પ્રમાણે દુકાને દુકાને તે બ્રાહ્મણને જોઈ લેકે વાતે કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં વિચાર કરતે કરતે તે બ્રાહ્મણ દેવભદ્ર શેઠને ઘરે પહોંચે. ઘરને દરવાજે ઉભેલ દ્વારપાળેએ તેને રોક્યો. તેમણે કહ્યું કે–“અરે બ્રાહ્મણ! અહિં ઉભે રહે, હું મારા શેઠને પહેલા જણાવું. આ પ્રમાણે કહી શેઠ પાસે 'જઈને તેણે કહ્યું કે- “સ્વામી! એક ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે.” શેઠ–કઈ દાન માગવા માટે આશા રાખીને આવ્યું હશે, તેને આવવા દે. શક્તિ છતાં માગનારને પાછો વાળે તે મેટું પાપ છે, તેથી શક્તિ અનુસાર તેને આપશું, તે બિચારાને પાછો વાળીશ નહિ; જા બેલાવ.' સ્વામીનો હુકમ મળતાં દ્વારપાળે બ્રાહ્મણને કહ્યું કે અંદર જાઓ.” તે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ માટે અમીર તે જુઓ કે રાજદ્વારની માફક મને દ્વારમાંથી જ તે રોકે છે. વળી આ સેવકો બારણે ઉભા ઉભા શું કામના છે? શેઠ તે નકામો પૈસે ઉડાવે છે. આહ તે શું કાંઈ ચોરને ભય છે અથવા તે શું કાંઈ ધાડબાડ પડે તેમ છે કે આ બધાને અહિં ઉભા રાખ્યા છે? આ પ્રમાણે અગ્ય રીતે પૈસા ઉડાવવાથી આ શેઠ થોડા દિવ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy