SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ આજ પવિ 493 કરીએ નહિ તે પછી જ્ઞાતિ તથા સ્વજન સંબંધીમાં કેવી રીતે રહી શકાય? માટે જે તમે કોઈ ખર્ચ નહિજ કરે તે હું ઘરેણા વિગેરે વેચીને અવસર આવ્યું ખર્ચ જરૂર કરીશ.” આ પ્રમાણે ધનસુંદરી સાથે ઘરમાં રહેલા બીજા માણસોએ પણ શેઠને ઠપકો દીધે, એટલે સાર્થવાહ સર્વેને ઠપકે સાંભળીને વ્યાકુળ થઈ ગયે અને મહા ચિંતામાં નિમગ્ન થઈ જઈને વિચારવા લાગ્યું કે-“અરે! જેવી આ ગૃહિણી છે તે જ આખે પરિ. વાર પણ એકઠો થયેલ છે. તેઓ શું જાણે છે ? શું દ્રવ્ય આકાશમાંથી પડે છે ? અથવા શું ઘાસની માફક તે ઉગે છે? અથવા શું તે ભૂમિમાંથી નીકળે છે? દ્રવ્ય તે મહા કલેશવડે પ્રાપ્ત થાય છે. આ બધા દ્રવ્ય પ્રાપ્ત કરવામાં જે કલેશ થાય છે તે બીલકુલ જાણતા નથી! અરે ગૃહથી ઘેરાયેલા આ સર્વ આટલે દ્રવ્યવ્યય નિર્થક કરી નાંખશે ! એકમત થઈ ગયેલા તે જે તે કરવામાંજ પ્રવર્તેલા છે. હવે હું શું કરીશ ? કોણ મને સહાય કરશે? જેની - આગળ કહીએ તે સર્વે તે તેમને પણ કરે છે, તેને ભેજન વહાલું છે, પારકાનું દ્રવ્ય વ્યય કરાવવામાં કોણ તત્પર ન થાય? આટલું દ્રવ્ય પાછું કયારે મળશે? હા! શું થયું? આ પ્રમાણે મહા આર્તધ્યાનથી પરાભવ પામેલે બહુ દુઃખથી દિવસ નિર્ગમાવીને સંધ્યાકાળે ભજન કરી રાત્રે સુતે, પણ ચિંતાત થયાંથી તેને નિદ્રા આવી નહિ; તેથી ભજનનું તેને અજીર્ણ થયું અને તેને પરિણામે વિસૂચિકા (કેલેરા) થઈ. પ્રાંતે તેની મેટી પીડાથી તે મરણ પામ્યું, અને મરણ પામીને તેજ નગરમાં નાગીલ નામના જન્મદારિદ્રીને ઘેર તેની નાગિલા નામની ભાર્યાની કુ- , શિમાં પુત્રપણે ઉત્પન્ન થયે, જન્મથી જ પિતા માતાને અનિષ્ટ -
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy