SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ 490 ધન્યકુમાર ચરિત્ર. લે કે આવ્યા હતા તેમ સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. કેવળીભગવંત પણ કેટલાક દિવસ સુધી સ્થિરતાથી ત્યાં રહી ભવ્ય જીને પ્રતિબેધીને બીજા ક્ષેત્રમાં વિહાર કરી ગયા. ત્યાર પછી કેવળીનાં વચનની સત્યતા સિદ્ધ કરવા માટે ભગદેવ ભગવતીની સાથે રથાદિક વાહનમાં બેસીને ઘણા સેવકોએ પરવરેલે વિશાલપુર નગર તરફ ચાલ્યું. તે નગરમાં પ્રવેશ કરીને ભવિતવ્યતાના વેગથી દુર્ગત પતાકાની પત્ની દુગિલાને કેઈ કામ માટે માર્ગમાં જતી તેણે દીઠી, એટલે તેને બેલાવીને ભેગદેવે પૂછ્યું કે–“અરે બહેન! તું સંચયશીલ સાર્થવાહનું ઘર ક્યાં છે તે જાણે છે?” તેણે કહ્યું કે “મારી પછવાડે આવે, હું તેનું ઘર દેખાડું. તેઓ તેની પાછળ ગયા, એટલે તેણીએ સંચચશીલ સાર્થવાહનું ઘર બતાવ્યું. તેના ગુહારની વેદિકામાં સંચચશીલ સાર્થવાહની પત્ની ધનસુંદરી બેઠી હતી. તેને જોઈને ભગદેવે પૂછયું કે- સુભગ ! બહેન ! આ સંચયશીલ સાથેવાહનું ઘર છે?” તેણુએ કહ્યું કે-“હા, આ તેમનું ઘર છે.” ભગદેવે પૂછયું કે-“શ્રેષ્ઠી ઘરમાં છે?” તેણીએ કહ્યું–“ના, તે બજારમાં ગયા છે.” ફરીથી ભગદેવે પૂછયું કે-“ભાગ્યવતિ. તમારા ઘરમાં દુર્ગતપતાકા નામને કેઈ નેકર રહે છે?” તેણુએ કહ્યું કે-“ડા દિવસ પહેલાં હતે.” ભગદેવે પૂછયું કે-“હમણ ક્યાં ગયે છે ?" તેણીએ કહ્યું કે “તેને મરી ગયા નવ મહિના થયા છે, પણ આપની જેવા શ્રેણીને તેનું શું કામ પડ્યું છે?” પછી ભગદેવે કેવળી ભગવંતે કહેલ વૃત્તાંત કહી બતાવે. તે વખતે સંચયેલશીલ સાર્થવાહ પણ ત્યાં આવ્યું. પરસ્પર શિષ્ટાચારપૂર્વક જુહાર કરીને બંને મળ્યા, અને કુશળ ક્ષેમની વાર્તા
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy