SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 442 &rusal 3a. હોય ત્યારે શું કરવું ? તેથી આ દંભ લૌકિક પ્રપંચવડે કરે, પણ લેકોત્તર પ્રપંચવડે તે કદિ પણ કરે નહિ. લેકેત્તર પ્રપંચ તે મેટા અને ગુણવંતના ગુણેને પણ નાશ કરે છે અને નિગોદાદિ દુર્ગતિમાં તે આચરનારને ફેંકી દે છે. આ સર્વ આપને દેખાડવા માટે મેં બાળકે આટલી ધૃષ્ટતા–ચપળતા કરી છે. આ પ્રમાણે અભયનું કથન સાંભળીને પ્રદ્યોત રાજા માથું હલાવી જરા હસીને બોલ્યા કે–“હે અભય! તેં કહ્યું તે બધું સાચું છે. વિધાતાએ બુદ્ધિ અને દુર્બુદ્ધિને પાત્ર એક તનેજ બનાવ્યું છે. તારા બુદ્ધિપ્રપંચને મર્મ જાણવાને દેવો પણ શક્તિવંત થાય તેમ નથી, તે પછી અમારી તે શી વાત? તારા રેમે રોમે સેં. , કડે અને હજારો સદ્દ અસદ્ બુદ્ધિને નિવાસ છે. તારી આગળ પિતાની બુદ્ધિને ગર્વ કરવાને કાણુ સમર્થ છે? તે જે કહ્યું હતું, તે કરતાં પણ વધારે કરી બતાવ્યું છે, હું પણ તારી પાસે હાથે જેડું છું. હવે બહુ થયું! માટે કૃપા કરીને મને છોડી દે કે જેથી હું માન ત્યજી દઈને સ્વગૃહે જાઉં. અભયે તે સાંભળીને કહ્યું કે “સ્વામિન! એમ બેલે નહિ! આપ તે મારા પૂજયના પણ પૂજ્ય છે. હું તો તમારી આજ્ઞા ઉઠાવનાર સેવક છું, તમારા દાસતુલ્ય છું, કેઈ પણ જાતની આ શંકા મનમાં લાવશે નહિ. અમારે ઘેર આપના પધારવાથી અમે કલ્પવૃક્ષ, સુરગંગા અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક માનશું. મારા પિતા પણ આપને મળવાને અત્યંત આતુર છે. વરસાદના આગમનથી કદંબપુષ્પની જેમ આપના પધારવાથી તેઓ બહુ પ્રફુલિત હૃદયવાળા થશે, મારા માતાજી પણ તેના બનેવીના દર્શનવડે ચંદ્રદર્શનથી ચકોરીની જેમ ઘણા રાજી થશે. હું પણ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy