SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ 368 ધન્યકુમાર ચરિત્ર. ખોટાની પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવી જ થાય છે.” તે સાંભળી ધનકર્માએ કહ્યું કે-“ઘરમાં હોય તે સાચો, બહાર રખડતે હેય તે ખોટે, તે વાત સર્વે જાણે છે. તે હકીક્ત સ્પષ્ટ છે; તેથી તે રાજાજી પાસે જઈને, તારૂં ધૂતારાનું મેટું ભાંગી નાખી, સર્વ સભા સમક્ષ તને ખેટે ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ-દેશનિકાલ કરાવીશ.' આ પ્રમાણે વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બેલાવીને તેઓની આગળ બંનેએ પિતપિતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીઓ વિગેરે ચમત્કાર ઉપજે તેવી વાત હોવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જેઓ દુજન હતા તેઓ તે તે ધનકર્માને દે'ખીને આનંદ પામ્યા, પણ જેઓ સજન હતા તેઓ ખેદ પામતાં બોલવા લાગ્યા કે “અરે (સંસારમાં કમની વિચિત્ર ગતિ છે. કમની વિષમ એવી ઉદયની સ્થિતિ જિનેશ્વર અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય છે ! જુઓ, કર્મ પરિણામ રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે?” ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિરમય પામ્યા અને બોલવા લાગ્યા કે-“આ બંનેમાં એક માત્ર પણ ન્યૂનાધિકપણું નથી, તેથી શું કરવું ?" તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળે બે -“આના પુત્રાદિક સ્વજન પુરૂષોને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતે બરાબર કહે તે સાચે ધનકર્મા સમજ, બીજો બેટ સમજે.” મહાજનેએતે પ્રમાણે કર્યું, ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યો, ત્યારે કૂટ ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણુને સર્વે સંકેતો સારી રીતે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy