SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ. ધન્યકુમાર ચરિત્ર. પ્રમાદના આચરણવડે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમાં શું તારે રોષ છે?” તે સાંભળીને સ્મિત કરતી સરસ્વતી બોલી કે- “હે બહેન! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પોષણ કરનાર એકજ વાક્ય હું કહું છું તે સાંભળ કે- જે કાઇ આપણી પ્રાપ્તિ કરીને સત્સંગ અંગીકાર કરે અને વિવેકરૂપી લેચમેળવીને ત્રિવર્ગનું સાધન કરે તે પરમપદને પામે. એ આ સવ વાતનું રહસ્ય છે. લક્ષ્મી બોલી– એ સત્ય છે. આ પ્રમાણે તે બન્ને દેવીઓને વિવાદ ભાંગે, એટલે તે બન્ને પિતપિતાને સ્થાને ગઈ. | ઇતિ લક્ષમીસરસ્વત્યો સંવાદ ઉપલે સંવાદ સંભળાવીને વળી તે ક્વટથી ઘરમાં પ્રવેશેલ ચારણ બે કે–“આ પ્રમાણે પુરાણદિકમાં પણ કહે છે, તેથી હૈ ભાઈઓ ! સાંભળે. .... दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य / .. यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति // દાન, બેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે વન દેતે નથી, તેમજ જે લક્ષ્મીને ભગવતે પણ નથી, તેની લ(બીની ત્રીજી ગતિ (નાશ) થાય છે. આમ હેવાથી સત્પુરૂષને લામી મળતાં તેનું ઉત્તમ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ રળ છે. જે પુરૂષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવતે નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તે દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલતી થઈ જાય છે. કહ્યું છે કે -
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy