SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 264 ધન્યમાર ચરિત્ર. ભાગ્યશાળી ! હે રાજન મારી પુત્રવધૂને છોડી દે. મારી પુત્ર-વધૂને તમે શા કારણથી રેકી રાખી છે? આપ આવા સમર્થ છે, છતાં અમારી જેવા રાંકને શા માટે પીડા છો?” આ પ્રમાણે ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પિતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર ભ્રકુટીની સંજ્ઞાથી સિપાઈને કહેવા લાગ્યા કે આ શું માગે છે? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આ તે સાંભળી સેવકે બેલ્યા“અરે વૃદ્ધ પુરૂષ! ઘરમાં અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપશું. આ પ્રમાણે વનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પછFડ તરતજ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બોલ્યા કે આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” આ પ્રમાણેની અમૃતતુલ્ય ધન્યકુમારની વાણી સાંભળીને પુત્ર દર્શનથી અકલ્પિત એ મને રથ અચાનક ફળવાથી, આનંદના >ઉભરાથી જાણે કે દબાઈ ગયું હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગે. આ વાત સત્ય કહી છે કે સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈ ન જાય? ઉભરાય જ.” ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વે દુઃખથી રહિત થયેલા પિતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા, અને આમ તેમ જોવા લાગ્યા. તેટલામાં દુઃખના કલેશથી તા થયેલી અને થાકી ગયેલી પિતાની જાતને પતિને શોધવા માટે આવતી કુમારે દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગેખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બેલવા
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy