SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ પવિ. 237 આ પ્રમાણે ખુશામત ભરેલાં મીઠાં વચને બોલી નમસ્કાર કરીને ધનસાર શ્રેણી એક બાજુ ઉભા રહ્યા. પિતાનાં આવાં મીઠાં વચને સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે “અહે! જુઓ ! ધનને ક્ષય થતાં મતિને વિભ્રમ પણ કે થઈ જાય છે? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પિતાનો પુત્રને પણ તેઓ એળખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ધનને ક્ષય થતાં તેજ, લજજા, મતિ, માન તે સર્વને પણ નાશ થાય છે–તે ચાલ્યા જાય છે. જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પિતાના પુત્રને પણ ઓળખતા નથી, તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પીછણ શકતા નથી. વળી હમણ દારિદ્રયના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે કિર્ણ વંશાદિકને પણ ગેપ છે. તેજહીન થયેલા તારાઓ દિન : પિતાની જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિની ઓળખાણ આપીશ નહિ, સમય આવ્યેજ ઓળખાણ આપીશ, કારણ કે પથ્ય ભેજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે. આ પ્રમાણે વિચારીને મન ધારણ કરી કાંઈક સ્નેહ દેખાડે' એમ વિચાર કરીને ત્યાં યોજેલા અધિકારી પ્રત્યે ધન્યમાર બોલ્યા- આ વૃદ્ધ માણસ વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ ગયેલા છે તેથી તેમને તેલ ગુણ કરનાર થશે નહિ, તેથી એમને ઘી ઓપ.” આ હુકમ મળતાં ધનસારે “બહુ મેટી મહેરબાની કરી તેમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે બધા મજુરો વૃદ્ધને કહેવા લાગ્યા કે—હે વૃદ્ધ! તારા ઉપર આપણા સ્વામીની બહુ મે કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવા હુકમ કર્યો, પણ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy