SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવ. 211 સહન કર્યું, પણ હવે તે ઇષ્ટ દેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય મને પ્રાપ્ત થયું છે, તેથી મારૂલેચન વિદ્યમાન હોવા છતાં અને તે લેચન છોડાવી શકાય તેટલે ધનલાભ પણ મને થયેલા છતાં લેકોનું એવું વચને હું હવે શા માટે સાંભળું અને સહન કરું ? તેથી મને મારી ચહ્યું પાછી આપે ! વળી જે તમારી જેવા ઉત્તમ પુરૂષે પણ ઉત્તમ વસ્તુ ઘરેણે મૂકવા આવે એટલે પાછી આપતાં આવું જૂઠું બેલશે તે જગતમાં શુદ્ધ વ્યવહારને જલાંજળિજ દેવાશે. જગતમાં કેઇના ઉપર વિશ્વાસ કરવા જેવું રહેશેજ નહિ ! જગતનો ચરૂપ શ્રી સૂર્યનારાયણ જો અંધકાર કરશે તે પછી આખા જગત ઉપર પ્રકાશ કરવા કોણ સમર્થ થશે? જે ચંદ્રમા વિષ વરસાવશે તે પછી જગતને સંતોષ / કેનાથી થશે? કોણ જગતને શીતળતા આપશે? તેથી તે ગભદ્ર શ્રેષ્ટિ ! જો તમે કલ્યાણને ઈચ્છતો હે તે મને મારી ચક્ષુ પાછી આપે, મારે બીજું કંઈ પણ જોઇતું નથી ! ચક્ષુ સિવાય હું બીજું કાંઈ લેવાને નથી.” આ પ્રમાણેનાં ધૂર્તનાં વચન સાંભળીને ગોભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સુઝયું નહિ, તેદિભૂઢ બની ગયા, અને તે ધૂને સમજાવવા માટે બીજા મટા શેઠીઆઓને બેલાવ્યા. તે વ્યવહારીઆઓએ સામ, દામાદિ ઉપાવડે તથા અનેક યુક્તિઓ વડે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિઓ વિજળીના કણીઓમાં અગ્નિની જેમ નિષ્ફળ ગઈ તે જરાપણ સમજ નહિ. હવે જયારે ગભદ્ર શ્રેણીએ જવાબ ન આવે–પિતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂનટની જેમ કપટકળા કેળવ શ્રેણિક મહારાજની સભામાં ગયે, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાર્થથી ગર્ભિત એવાં સમયની હાનિ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy