SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ 119 અગર જુઝ બ કામ-એ મને આયદ જવાબ, મન ઓ ગુડ્ઝ ઓ મયદાન ઓ અફ્રાસિયાબ. (જો મારી ઇચ્છા વિરુદ્ધ જવાબ આવ્યો છે, તો પછી હું છું, મારી ગદા છે અને અશાસિયાબનું મેદાન છે !) સુલતાન આ પંક્તિથી એટલોબધો ખુશ થઈ ગયો કે એ પંક્તિઓનો રચનાર કોણ છે તે પૂછયું અને તે ફિરદૌસી હોવાનું જણાતાં તરત જ તેને ભૂતકાળ યાદ આવ્યો, આવા કવિને નવાજવામાં પોતે કરેલા વચનભંગ માટે પશ્ચાત્તાપ થયો અને તેના પ્રાયશ્ચિત તરીકે તેણે $0000 સોનામહોરો ફિરદૌસીને તુરત જ મોકલી આપવા હુકમ કર્યો. પણ કિસ્મતનો ખેલ કેવો અજબ કે જે વખતે એ મહોરો લઈને સુલતાનનો રસાલો જ્યાં ફિરદૌસી રહેતો હતો તે તુસ ગામને એક દરવાજેથી શહેરમાં દાખલ થતો હતો તે જ વખતે ફિરદૌસીનો જનાજો (સ્મશાન-સરઘસ) બીજે દરવાજેથી બહાર નીકળતો હતો ! એ ભેટ કવિની દીકરી આગળ નજર કરવામાં આવી, પણ તેણે હાથ ન અડકાડતાં એવી અદાથી ઉત્તર આપ્યો કે ““મારી, પાસે મને જોઈતું છે, અને વધુની મને જરૂર નથી.” કવિને એક બહેન હતી. તેને ખ્યાલ આવ્યો કે કવિની જીવનભરની મહત્ત્વાકાંક્ષા પોતાના ગામની નહેરને સમરાવવાની હતી. એટલે તેણે સુલતાનની સોગાદનો સ્વીકાર કર્યો અને એ આખી રકમ નહેરના બાંધકામ પાછળ ખરચી એના જીવનની મોટી મુરાદ પાર પાડવા સાથે ગામમાં તેનું ચિરંજીવ સ્મારક કર્યું. ઉત્તરાર્ધ પોતાની તબિયત વધારે ને વધારે નાદુરસ્ત થતી જવાથી મોહનભાઈ મુંબઈનો કંઈ વર્ષોનો ઘરવાસ સંકેલે છે અને પોતાને વતન રાજકોટ જઈને રહે છે. સ્થળફેરથી, હવાફેરથી પણ તેમની તબિયતમાં કશો સુધારો થતો નથી; શરીર શિથિલ બનતું જાય છે; મન ઢીલું પડતું જાય છે; મગજ ઉપરનો કાબૂ ઘટતો જાય છે. તેમની ચાલુ બીમારી એક ચિંતાનો વિષય બને છે. મુંબઈ તેમની કર્મભૂમિ. જૈન સાહિત્ય તેમની જીવનભરની ઉપાસનાનો વિષય. જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સ, અને મહાવીર જૈન વિદ્યાલય તેમની જાહેર સેવાનાં વિશિષ્ટ ક્ષેત્રો. તેમની સાથે કંઈ વર્ષોથી જાહેરજીવનમાં,
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy