SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 70 મહર્ષિ તારાજ બદલે અશ્વમેધ, ગેમેધ અને નરમેધ જેવા હિંસક યજ્ઞોએ પોતાનું સ્થાન જમાવ્યું. સોમરસના બદલે ઉત્તેજક પીણાઓએ ઘર ઘાલ્યું. સર્વ વર્ણમાં શ્રેષ્ઠ મનાયેલ બ્રાહ્મણે પોતાનું હણાતું બ્રાહ્મણપદ અખંડ રાખવા જાતિવ્યવસ્થાનાં એકઠા જડબેસલાખ કર્યો. શોનું સ્થાન હીણું થયું. સ્ત્રીઓનું સ્થાન પણ એવું જ બન્યું. અમ જેવાને તે કઈ ઉદ્ધારક જ નહોતે.” દેવદત્તા થોડીવાર થંભી અને પુન બોલવા લાગી. આ ભારે બનતી જતી સંસ્કૃતિ ઉપર બૌદ્ધ સંસ્કૃતિ પોતાની પાંખો ફફડાવતી આવી બેઠી. બૌદ્ધ સંસ્કૃતિના પરમ પ્રચારક મહાત્મા બુદ્ધ! મગધ અને કેશલ વચ્ચે આવેલ કપિલવસ્તુના ક્ષત્રિય રાજા શુદ્ધોદનના તે પુત્ર થાય. એક દહાડો જગતમાં વ્યાપી રહેલી આ ભયંકર હિંસા નીરખી, માનવજીવન પર તોળાઈ રહેલ જન્મ, જરા ને મૃત્યુનાં દુખ પખીઃ એ દૂર કરવાની પ્રતિજ્ઞા કરી, પુત્ર અને પત્નીને ત્યાગ કરી એક પારધિનાં વસ્ત્ર પહેરી, એની છરીથી કેશ કાપી મહાભિનિષ્ક્રમણ કર્યું. અને અહિંસક યજ્ઞયાગનો એમનો ઉપદેશ પ્રથમ રાજગૃહીને જ મળ્યો. એ પછી તો એ છ વર્ષ તપ તપ્યા, પણ તેમાં કેવળ ઈયિવિજય મેળવ્યો. જે જ્ઞાનની તેમને જરૂર હતી, તે ન લાધ્યું. આખરે એમને લાગ્યું કે ભૂખથી મર્યો મુક્તિ નહિ મળે. એટલે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. મધ્યમ માર્ગ એટલે ન શરીરને તપજપથી બહુ કષ્ટ દેવું કે ન તેને અત્યંત સુખશાલિયું બનાવવું.” “દેવદત્તા, તું કર્મ અને ધર્મ બંનેની પંડિતા છે!” મહાત્મા બુદ્ધના આ ઉપદેશ ઉપર શ્રમણ સંસ્કૃતિ ગડરાજશી પાંખો પ્રસારતી આવી ઊભી. આ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિના જેટલી જ પ્રાચીન હતી, પણ એમાં દેશ–કાલને અનુસરી નવ ક્રાંતિ આણવામાં આવી હતી. એણે શદ્રોને અપનાવ્યાં. દુઃખિયાંને છાતીસરસા ચાંપ્યાં. આ કાતિના આણનાર ક્ષત્રિયકુંડના મહાન લિચ્છવી વંશનાકાશ્યપ શેત્રીય,જ્ઞાતકુળધારક રાજા સિદ્ધાર્થના ત્યાં જન્મનાર.”
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy