SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અજબ પુરુષ પ૩ કહે છે કે ઉપમા અને અલંકારે ઓછાં પડે છે. દેવદત્તાના સૌંદર્ય ને સ્વર વિષે આબાલવૃદ્ધ છડેચોક ચર્ચા કરવામાં સુજ્ઞતા સમજે છે.” સુજ્ઞતા, સંસ્કારિતા !" કઈ અજડ માણસ બેલે તેમ આ શબ્દોનું સાર્થવાહે પુનરુચ્ચારણ કર્યું. દાસીની આ વાતથી એ આશ્ચર્ય પામતો હોય એમ ભાસ્યું. સ્ત્રીનાં અગે પાંગની આવી ચર્ચા સુજ્ઞતા ને સંસ્કારિતા કેમ લેખાય, એની જાણે એને સમજ જ ન પડી ! દાસી, આ રંગસભા વિખરાઈ જશે ને હું ઓળખાણ વગરને રહી જઈશ. પરદેશી છું, પારકી મને વાસી છું, માટે ત્યાં જતાં શરમ આવે છે.” ભલે ત્યારે, જુઓ, પેલા રંગસભાની પ્રથમ પંક્તિમાં સહુથી આગળ ઉચ્ચાસને બેઠેલા છે, તે રાજગૃહીના સમાહર્તા. ખાણ, સેતુ, વન, વ્રજ બધાના એ અધિકારી ! " યોગ્ય છે, અનુભવી પણ લાગે છે.” દેવદત્તાના રૂપને બદલે સમાહર્તાની આકૃતિને તે દ્વારા પી રહ્યો હોય તેમ સાર્થવાહ બેલ્યો. અને તે પછીના અનુક્રમે સૂત્રાધ્યક્ષ, સીતાધ્યક્ષ, સુરાધ્યક્ષ ને ગણિકાધ્યક્ષ ! " ધન્ય છે! ધન્ય છે ! વાહ, તે પછીના કોણ છે?” , “મગધના તલવર (પટ્ટાવાળા ક્ષત્રિય), માંડલિકે ને ઇભ્યો છે. પેલા શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટ જેમણે માથા પર બાંધેલા છે, તે રાજગૃહીના શ્રેષ્ટિઓ છે.” ' “શ્રેષ્ટિઓ !" યુવાને કંઈક કરડાકીમાં કહ્યું: કેમ ચમક્યા "
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy