SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પટાબાજીથી જે પરીચિત હતા; તેઓ જાણતા હતા ને વિશ્વાસ રાખતા હતા કે જે એને કોઈ સાથ આપે તે કઈ ગામનો રાજા સહેલાઇથી બની શકે તેમ હતું. અને પછી તો “સમરથ નહીં દેવ ગુસાંઈ !" એની જ મહત્તાનાં કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્ર રચી શકાતબળીઓ બે ભાગ પાડી લેત! પણ રહિણી દાદાની આ વાતથી વિરૂપાનો પતિ માતંગ ને તેને પાડોશી છેડા કૂબાઓ જુદા પડતા. માતંગના કુળમાં બાપદાદાના વખતથી અમુક વિદ્યાઓનો વારસો વહ્યો આવતો હતો. કહેવાતું કે માતંગના કેઈ બાપદાદા ઊચ્ચ વર્ણને વેશ સજી શાસ્ત્ર ભણી આવેલા અને એમણે પોતાના કુળમાં આ શાસ્ત્ર ઊતારેલું. આ શાસ્ત્રનાં સૂકતોથી એ રોતાં પીડાતાં બાળકોને સાજા કરી શક્તા, પ્રસૂતિની ભયંકર પીડામાં પડેલી સ્ત્રીનું આડું છોડાવતા, કેઈ ને લાગેલી નજર, કેઈને કરડેલો સાપ કે કોઈને વળગેલે પ્રેત-પિશાચ પણ એ કંઈક બોલીને, કંઈક પાણી કે વનસ્પતિ પાઈને દૂર કરી શકતા. માતંગ એની આ લાયકાતને બળે રાજબગીચાનો રખેવાળ બને. ભાગ્યયોગે માતંગ વિરૂપા જેવી શીલવતી ને ગુણવતી સ્ત્રીને પરણું લાવ્ય. વિરૂપા અને માતંગનાં દ્વાર પર સર્વ પ્રથમ પ્રકાશ ઝીલાયો. વનવગડાનાં વાસીઓ વચ્ચે રહીને રેહિઆને દાદો જ્યારે વાઘ જેવો ક્રૂર બનતો ગયો, ત્યારે વિરૂપા ને માતંગ રાજગૃહીની વસતિ વચ્ચે આઠે પહોર વસીને નમ્ર ને ઉદાર બન્યાં. ઠકરા પ્રસારતું ગયું. આ પ્રકાશના આદિ સર્જકને તે કોઈએ જોયા નહોતા, પણ એમના અનુયાયીઓ રાજગૃહીમાં આવતા, ત્યારે વહેલા-મોડા પણ આ લોકને લાભ મળતો. એમાં સહુથી વિશેષ લાભ વિરૂપાને સાંપ
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy