SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સોનીને શું દેષ? 305 મુનિરાજ તો શાન્ત ઊભા હતા. એમને યાદ આવી રહ્યું હતું કે સુવર્ણકાર જ્યારે અંદર ગયો ત્યારે પાસે બેઠેલું એક કેચ પક્ષી ભૂલથી એ સુવર્ણજવને સાચા જવ માની ચણી ગયું હતું. હવે શું કરવું ? નામ દેતાં સુવર્ણકાર પક્ષીને નહિ જ છોડે ! એ મારી નાખશે, ત્યારે જૂઠું બોલવું? એ કેમ બને? એમને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી. અભયકુમાર સાથે પિતે કહેલું એ ચર્ચા પ્રસંગ હતે. ચર્ચા ચાલતાં જ્ઞાતપુત્રનો ઉપદેશ પચાવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજે ! એક દહાડો જ્ઞાતપુત્રને ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ.” અભયકુમારે ચર્ચા કરતાં એ વેળા કહેલું: વાર મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે હમણાં વાદવિવાદ ચાલ્યો હતો. એકે કહ્યું કે સત્ય ને અહિંસામાં પણ વેળા-કળા જેવાની! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું, એને જતું જેનાર આપણા સિવાય અન્ય કેઈ ત્યાં નથી. પાછળ જ એક ક્રર પારધિ આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું ? હવે આપણે શું કરવું? સ્થિતિ વિચિત્ર છે. સત્ય કહે તે હિંસા થાય છે. ખોટું કહે તો સત્ય હણાય છે. મૌન રહે તે પેલો તમારે ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નિવડી. બોલો, તમે શો જવાબ આપે છે?” એ વેળા પિતે જ અભયકુમારને ઉત્તર વાળેલોઃ 20
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy