SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશુદ્ધિ ર૭૯ ઓળંગત, વનઘટાઓ વધતો ચાલ્યો. એની ઝડપમાં પવનનો વેગ હતો ને એની છલાંગોમાં કેસરીની તાકાત હતી. એજનના જન આ રીતે એ જઈ શકત. વનનાં ફૂર પશુઓ પણ એને પીછો ન લઈ શકતાં. જ્ઞાતપુત્ર જે વનમાં ઉતર્યા હતા, એ વનમાં પહોંચતાં એને બહુ અલ્પ સમય લાગે. જ્ઞાતપુત્ર મહાવીર પિતાના સુવિખ્યાત અગિયાર ગણધરે અને અનેક શિષ્યો સાથે પર્ષદામાં બેઠા હતા. એમના મુખપર પાપીને પણ પાપ વિસ્મૃતિ કરાવે એવી કરુણું વિરાજતી હતી. ધાર્યું કરવામાં લેશમાત્ર વિલંબ ન સહનારો રોહિણેય ત્યાં પહોંચતાંની સાથે જ્ઞાતપુત્ર મહાવીરના ચરણમાં પ્રણામ કરતે બોલ્યોઃ હે નાથ ! તમારાં કેટલાંક વચનોએ મને જીવન્ત રૌરવ નરકની યાતનામાંથી બચાવેલ છે. હવે મને આ આત્મા, આ દેહ વિષે સમજાવી સાચે માર્ગ બતાવી મારું કલ્યાણ કરો! અઘેર પાપી છું.” “ધર્મ પાળનાર પાપી રહી શકતું નથી. ધર્મનું શરણ સ્વીકાર, મહાનુભાવ ! દેહને જ સર્વસ્વ માનીને ઝૂઝનાર, બાહ્ય આલંબનને જ સુખનાં સાધન કલ્પનારે આત્માની પણ વિચારણા કરવી ઘટે. આત્મા એક અજેય વસ્તુ છે. ક્રોધ, માન, લેભ ને માયામાં એ અદશ્ય છે. આત્માને પ્રાપ્ત કરવો આવશ્યક છે, અને તે માટે રજથી ય નમ્ર, પવનથી ય હલકા ને તૃણ માત્રના પરિગ્રહથી ય પર એવા સાધુ બનવું શેભે છે. દશ લાખ દુશ્મનોના સંહાર માટે જેટલું બળ આવશ્યક છે, એથી ય વધુ બળ આત્મામાં ઉપજેલા ક્રોધને શાંત કરવા માટે જરૂરી છે. એ બળ પ્રાપ્ત કરવા માટે ધર્મપ્રાપ્તિની જરૂર છે.” ધર્મ એટલે શું?”
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy