SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 272 મહર્ષિ મેતારક એક દહાડે ઘેલા માતંગને પણ આ વાતનું ભૂત વળગ્યું. એણે મહામંત્રીને મુખે સ્પષ્ટ વાત કરી. મહામંત્રીએ પ્રજાને અભિપ્રાય મગધરાજને સંભળાવ્યો. મગધરાજે પાણીના પ્રવાહ સમી પ્રજાના અભિપ્રાયને હસતાં હસતાં સાંભળીને કહ્યું: " રાજકન્યા મેતાર્યને પણ વરે, પણ એ પહેલાં મેતા રાજગૃહીને ભાવે તેવાં કાર્ય કરવાં જોઈએ. “ોહિણેયના હાથમાંથી રાજગૃહીને બચાવી એ મહાન કાર્ય નહીં ?" એ તો નગરશ્રેષિના પુત્રનો ધર્મ અદા કર્યો, એ તો મેતાર્યનાં કાર્ય, હવે મેતારજ તરીકે શું? એમાં શકકુળાને મેતકુળોને શે હિસ્સો? “વારુ, તે મગધનાથ કહે તે કરીએ.” રાજગૃહીને કાંગરે કાંગરે રત્નમાળા જડાવોએનો પ્રકાશ આકાશના વિમાનને ય અજવાળે !" અરે, એ તે હવે મેતકુળની એકાદ સાગરખેપનું કામ! અરે, જ્યાં જગતને વ્યાપારકુશળ વ્યવહારીઓ હોય ત્યાં રત્નમાળની શી ખામી !" અને માતંગના આ શબ્દો મિથ્યા બકવાદ નહેતા, એ વાત. થોડા દહાડામાં બધાને સમજાઈ ગઈરાજગૃહીનાં કાંગરા રત્નમાળેથી ઝળહળી ઊઠયાં. ઘેલા માતંગે ફરીથી માગુ મોકલ્યું. મગધના મહામના રાજવીને આવી વાતે અપમાનકર્તા નહતી ભાસતી. પ્રજાજીવનની નવ ઉમાને. એમાં ચમકારે જેતા. એમણે ફરીથી કહેવરાવ્યું છે “રાજગૃહી સદાને માટે પાવન થતી રહે એવું કાર્ય થવું
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy