SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 270 મહષિ મેતારજ અંતે એ પ્રવાહ મેતાર્યના ધનભંડારામાં જઈ ભળતે. જે મેળે રોજ ગંદકી, મહામારી ને મહાવરનાં ઘર હતાં, ત્યાં આરોગ્યની બંસી બજતી હતી. મેતેએ ગોકુળે વસાવ્યાં હતાં, વ્રજના સ્વામીઓ વ્યાજના બેજમાંથી હળવા બન્યા હતા. કેટલાક સાગરના સફરીએ બન્યા હતા ને કેટલાક વિશ્વકર્માની વિદ્યાના જાણકાર બન્યા હતા. આમાં વિશેષ સંસ્કાર નાખવા મેતાર્ય કેટલાક શ્રમને અવારનવાર તેડાવતે. શ્રમણે કથાવાર્તા કરતા, ઉપદેશના પદો રચતા, માનવભવની સફળતા કેમ થાય, ઉત્તમ જીવન કેમ જીવી શકાય વગેરે -બાબતો દૃષ્ટાંતથી સમજાવતા. આ રીતે મેત અને શુદ્રને મોટે ભાગે નવજીવન પામ્યો હતો, પણ એક વર્ગ કે જે રોહિણેયના દાદાને પક્ષકાર હતા, એ આ કાર્યને ઘેર વિરોધ કરતા, મેતાર્યની કઈ પણ સારી નરસી પ્રવૃત્તિને એ પ્રપંચ તરીકે વર્ણવતે. એ લોકો કહેતા કે આ તે એક જબરદસ્ત કારસ્તાન છે, ગણ્યાગાંઠયાં શોને મિટાવી દેવાનું! શો ને કિજન્મો એક થયા, એ કદી કઈ કાળમાં, કેઈ શાસ્ત્રમાં વાંચ્યું? શદ્રોના તે બે ધર્મ ગામમાં વસનારની તેમણે સેવા કરવી, જંગલમાં વસનારે એમને લૂંટવા. રોહિણેયને દાદે મૂર્ખ નહેતેને વરવર રોહિણેય જે અત્યારે એકલે હાથે લડી રહ્યો છે. એ પણ ગાંડે નથી. આ બે વર્ગ વચ્ચે ઘણીવાર અથડાઅથડી થતી, એમાંથી રક્તપાત જન્મતે. મેતાર્ય પોતે એમને સમજાવવા જતા ત્યારે તેઓ સ્પષ્ટ કહેતાઃ મેતારજ, તમે બહુ ભલા છે, પણ આ વાતમાં અમે તમારું નહિ માનીએ. અમારી જાત પર દયા કરીને આ પ્રવૃત્તિ બંધ કરે. અમને વધુ અન્યાય ન કરે.” * બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય.
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy