SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતપુત્રને ચરણે 183 ગયેલ નથી અને માયા એજ જેની મૂડી છે, એવાને પણ હરાવી ન શકે? હું સર્વ પંડિતસભાને આ પ્રશ્ન કરું છું.” સોમિલ વિપ્રના આ શબ્દોએ વજપાત જેવી અસર કરી. આર્યાવર્તના અગિયાર શ્રેષ્ઠ વિદ્વાનોમાંથી બાકી રહેલા આઠ વિદ્વાનો એક સાથે ગર્જી ઊઠયાઃ “યજમાન દેવ ! શાન્ત થાઓ! અમે આઠ જણ અત્યારે જ પ્રસ્થાન કરીએ છીએ. એકાકી વિદ્વાનને ભરમાવનારો એ માયાવી અમને આઠેને કેમ ભરમાવી શકે છે, તે હવે જોઈ લઈએ.” નિરાશ બનેલી માનવમેદનીમાં ફરી આશાનો સંચાર થયા. સહુએ આ વિભૂતિઓના પ્રસ્થાનને પ્રચંડ નાદથી વધાવી લીધું. સહુથી અગ્રભાગમાં કલ્લાક સંનિવેશના પ્રખ્યાત વિદ્વાન વ્યક્ત ને ઉપાધ્યાય સુધર્મા પોતાના એક હજાર શિષ્યો સાથે ધરણી ધ્રુજાવતા ને વેદનાદથી ગગનમંડળને ભરી દેતા ચાલતા હતા. આ બંને વિદ્વાનોના સમુદાય પછી મૌર્યગ્રામનો અજેય મનાતો વિદ્વાન મૌર્યપુત્ર હતો. એના 350 શિષ્યો પાછળ ચાલતા ચાલતા પણ વાદવિદ્યાના ભેદભેદની ચર્ચા કરતા હતા. આ પછી પિતાના ત્રણસો શિષ્ય સાથે પંડિતવર અચળબ્રાતા ને તેવા જ ત્રણસો શિષ્ય સાથે સ્વયં વેદાવતાર અકપિત ચાલતા હતા. સહુથી છેડે વત્સદેશભૂષણ તૈતર્યું ને તે પછી કેવલ સોળ વર્ષની પાંગરતી તરુણાવસ્થામાં રાજગૃહીના વિદ્વાનોમાં સન્માન પામનાર પ્રભાસદેવ હતા. કઈ મહા સેના મહાન રાજ્ય ઉપર ચડાઈ કરવા જતી હોય એવું દશ્ય હતું. ચાલનારાઓની ચરણધુલીથી આકાશમાં જબરી ડમરી જામી હતી. આર્યાવર્તના ઈતિહાસનું એક અતિ મહત્ત્વનું પૃષ્ટ આજે ઉઘડી
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy