SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતપુત્રને ચરણે 177 પ્રાણીઓને મૃગજળથી ભરેલાં મહા રણમાં અથડાવી મારવા સિવાય કંઈ કરી શકશે નહિ ! એકલી વિદ્યા શા કામની? ઉદરભરી માણસના જેવી વિદ્યા કેવલ કંઠાગ્ર કરી લીધે કલ્યાણ નહિ થઈ શકે! ક્ષણવારમાં આર્યાવર્તના આ મહાન વિદ્વાન સામેથી અભિમાન, પૂર્વગ્રહ ને પાંડિત્યનાં જાળાં દૂર થતાં ગયાં. કેઈ મહા સંકલ્પની ક્ષણેમાંથી પસાર થતો હોય તેમ ઈંદ્રભૂતિ ગૌતમ પળવારને માટે સ્થિર, સ્તબ્ધ ને મૌન ઊભો રહે. એને સત્યને શોધક, ઋજુ સ્વભાવી આત્મા અંતરમાં બળ પિકારી રહ્યો ગૌતમ, માનવજીવનનું સાર્થક કરી લે ! પાંડિત્યના પંકમાંથી નીકળી આત્માના પવિત્રતમાં પંકજને ખીલવ ! તારી પ્રચંડ શક્તિઓના રથી વિનાના રથને મળેલો આ સારથી સાધી લે !" એક જ ક્ષણ! ઝંઝાવાત પસાર થતાંની સાથે જ દિશાઓ જેમ પ્રસન્ન બની સુગંધ વહાવવા લાગે તેમ પાંડિત્યના આ અવતારનો આત્મા નિર્મળ બની ગયો. દુનિયાનાં માનાપમાન, લાભાલાભ, કીર્તિ—અપકીર્તિ એ ભૂલી ગયો. એ જ્ઞાતપુત્રના ચરણે પડ્યો. એણે બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ પ્રાર્થના કરીઃ " નમુથુણે અરિહંતાણું ભગવંતાણું, આઇગરાણું, તિત્કચરાણું, સયંસંબુદ્વાણું.* એક એક પંક્તિ કેઈ સંવાદી સૂરની જેમ બધા પર પડઘો પાડી રહી. નિર્વાણગિરાના આ મહાન પંડિતના મુખમાંથી સરતી પ્રાકૃત લોકભાષાની આ પંક્તિઓ સહુને વશ કરી રહી. ચરણસ્પર્શ * ધમદિના સ્થાપક, તીર્થના સ્થાપક અને સ્વયં જ્ઞાનવાન એવા અરિહંત ભગવંતને મારા નમસ્કાર છે. “શકસ્તવ' 12
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy