SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મગધનાં મહારને 123 હા, હા. પણ એમાં મારે માટે શેક કરવા જેવું નથી. મારે તે બત્રીસ બત્રીસ પુત્રો છે, પણ દેવસૂનુ ! જે માતાને એકને એક લાડકવાયો ગયો હોય એના દ્વાર પર પહેલાં જવું ઘટે. મહારાજની મમતા માટે આભારી છું. દેવસૂનુ, શાંતિથી કહે કે મારા પુત્રોમાંથી કોણ કાણુ વીરગતિ પામ્યું?” ઓ મારા દેવતા, નથી બોલી શકતો, આપના બત્રીસે પુત્ર કામ આવ્યા.” બત્રીસે પુત્રો?” કે મોટા વટવૃક્ષ પર જાણે વીજળી પડી; એમ નાગથિક આટલું બોલીને સ્તબ્ધ બની ગયો. હાય, હું કેમ જીવીશ?” તુલસા જમીન પર પડી મૂછ પામી ગઈ. નાગરથિકને ચહેરે અત્યારે જોઈ શકાય તેવો નહોતે. આંતરયુદ્ધની એક એક નિશાની દેહ પર પથરાઈ ગઈ હતી. અશ્રુને સાગર ઉલટી પડ્યો હોય ને આંખના પડદા પાછળ જાણે ખાળી દીધો હોય એવાં એનાં નયનો ભય હતાં. રૂંવાડે રૂંવાડું સ્થિર થઈ ગયું હતું. વાસની ક્રિયા પણ શાન્ત થતી ચાલી હતી. “નાથ, શે જીવાશે? હાય, મારાં બાળ!” જાગ્રત થયેલી સુલસા આટલું બેલી ફરીથી બેશુદ્ધ બની ગઈ , “દેવી, જાગ્રત થા! તને ધર્મની જ્ઞાતાને આટલે મેહ શોભે ? કાનાં છોરું ને કેનાં વાછરું !" વયોવૃદ્ધ નાગથિકે સુલસાના મસ્તકને પંપાળ્યું. પાણી છાંટયું ને દાસીએ ચંદનને લેપ કર્યો. સુલસાએ ધીરે ધીરે નેત્રો ઉઘાડ્યાં. નાગરથિક સાંત્વન આપતે કહેવા લાગેઃ “સુલસા, મારા કરતાં તું ધર્મમાં વધુ નિપુણ છે, અને આ પામરતા! કર્મની ગતિ ભૂલી ગઈ? કોણ તારું છે ને કોણ મારું છે !"
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy