SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ 484 > આદશ મુનિ. *-- .:::::::::* * * * * * * * * * * * * * * * * * * * આ પ્રમાણે તેઓશ્રીએ પિતાની અદભુત ત્યાગશક્તિ દ્વારા સ્કૂલ સાંસારિક પ્રલેભનોથી પિતાની રક્ષા કરી હતી, પરંતુ સૂક્ષ્મ પ્રલોભનથી પણ પિતાનું સુંદર રીતે સંરક્ષણ કર્યું. અહંકાર, યશસ્વી બનવાની અભિલાષા, ચરણ કમળ પૂજાવવાની ઈચ્છા, પિતાનું નામ અમર કરવાની ઉત્કંઠાઆ પ્રલોભન, સ્વાર્થપરાયણતાનાં સક્ષમ સ્વરૂપ છે, અને તે મેટા મેટા સેનાપતિઓ તથા રાજપુરૂષને તે શું પરંતુ ધર્માચાર્યોને પણ વશ કરી લે છે. મુનિ મહારાજ આ સઘળાથી પર છે. તેઓશ્રી તેમના કાળના શ્રેષ્ઠ પુરૂષ કહી શકાય. તેઓશ્રી આધુનિક કાળમાં કંઈ નહિ પણ વેતામ્બર સંપ્રદાયના સર્વોત્તમ ઉપદેશક તથા સુપ્રસિદ્ધ વકતા છે. અહંકાર તો તેમને સ્પર્શ પણ કરી શક્યો નથી. યશપ્રાપ્તિની તેમને બિલકુલ પરવા નથી. તેઓશ્રી જે રીતે તથા જે પ્રેમ અને અનુરાગથી રાજા મહારાજાએ તથા શેઠ શાહુકારને મળે છે, તેજ ઢંગથી નિર્ધન તથા અજ્ઞાનને પણ મળે છે. કેઈ અન્ય સંપ્રદાયાવલંબી તેઓશ્રીને ભેજન વહોરાવવાનું આમંત્રણ કરે તે તેને સ્વીકાર કરતાં સહેજ પણ આનાકાની કરતાં નથી. બેટાં અથવા બનાવટી માનમર્યાદા તથા આત્મારવના વિચારને તેમનામાં લેશ માત્ર સ્થાન નથી. નૈતિક જીવનના જે ક્ષેત્ર તથા જળ અને વાયુમાં તેઓ રહે છે, તેમાં આત્મા મહિમાના અંકુરે ફુટી તે શું પણ મૂળ પણ નાખી શક્તા નથી. જેઓ તેમની નિંદા કરે છે તેમના તરફ તેઓ રેષ દર્શાવતા નથી અગર તે તેમની તપાસ પણ કરતા નથી. પરંતુ તેમને અજ્ઞાન તથા અણસમજ પરત્વે તેમને દયા ઉપજે છે. આ યોગ્ય છે. જ્યાં તેમને વિષેના દુષ્ટ વિચારને નાશ થયે, ત્યાં તેમનું કઈ વૈરી
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy