SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ --> આદર્શ મુતિ. ^^^^^^^^ ^^^^ , . * * * * ~ * * * * ** * * * * * * *** ******* * * **** પ્રવાહના વેગથી અલેપ થઈ બીજી વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જાણે એકાકાર થઈ જાય છે. બીજાને માટે તે આત્મસમર્પણ કરે છે. તે પરાર્થ–સ્વાર્થરહિત–પ્રેમનો અનુભવ કરે છે, અને પિતાના બાળકને પણ કુદરતી પ્રેમને પાઠ પઢાવે છે. પિતા, બંધુ, ભગિની તથા સગાંસંબંધીઓ વિગેરે પણ થોડે ઘણે આ પ્રકારનો વ્યવહાર રાખે છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યકિતના સ્વભાવમાં બીજી કેટલીક વ્યક્તિઓને પિતાનીજ માનવાની, તેમનાં સુખ દુઃખને પિતાના સુખદુઃખ માનવાતી, તેમના નફા નુકસાનને પોતાના નફા નુકસાન સમજવાની વૃત્તિ જાગૃત તથા પુષ્ટ થાય છે. જે પ્રમાણે શારીરિક ઈદ્રિ શિક્ષણ તથા પ્રગબળથી પ્રબળ બને છે, તથા અશિક્ષણ અને બીનવપરાશથી શિથિલ થઈ જાય છે, જે પ્રમાણે મસ્તકની શકિતઓ, બુદ્ધિ સ્મરણ, વિચાર ઇત્યાદિનાં શિક્ષણ તથા વપરાશ ઉપર નિર્ભર છે, તેવી જ રીતે પ્રેમ તથા સહાનુભૂતિનું આ વાકય પણ સુશિક્ષા તથા સગથી ઉન્નત તથા વિસ્તૃત થાય છે. જેનું મન અન્યની દશાની ચિંતામાં મગ્ન રહે છે, જે પોતાની કલ્પના શકિતદ્વારા પિતાને બીજાની સ્થિતિમાં ઘટાવી શકે છે, જે સહાનુભૂતિને વશવર્તી બીજાના દુઃખે દુખી અને સુખથી આનંદિત-આચ્છાદિત થાય છે, જેની સઘળી ભાવનાઓ તથા વિચાર સ્વાભાવિક રીતે જ અન્યની સેવામાં લાગી જાય છે, તેમના આત્મામાં આ પ્રેમ પરાકાષ્ઠાએ થાળે છે. જે પ્રજ્વલિત અગ્નિ ઘાસ તથા ગંદકીને ભસ્મ કરી નાખે છે, તેજ સુવર્ણને વિશુદ્ધ તથા ઉજજવલ કરી અન્ય અલિન પદાર્થોને ભસ્મીભૂત કરે છે. સામાજીક સહા
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy