SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. હતી. જૈન, બોધ તથા બ્રાહ્મણ ગ્રંથથી એ સિદ્ધ થઈ ચુકયું છે કે પ્રાચીન સમયમાં જૈન સાધુ સર્વથા અપરિગ્રહ રહેતા હેવાથી નિગ્રન્થ કહેવડાવતા હતા. આ નામ અત્યારે પણ જેનેમાં પ્રચલિત છે. મહારાજ અશકે તેમને માટે ધર્માધ્યક્ષ નીમ્યા હતા. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે તેના સમયમાં પણ નિન્ય ધર્મ અતિશય પ્રચલિત અને પ્રબળ હતો, કંઈ ન તે સ્થપાયેલ ધર્મ નહિતો ડે૦ જેકોબી (જર્મની) એ જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મના અતિશય પ્રાચીન ગ્રંથોનું મન્થન કરી નિન્ય ધર્મ એ અતિશય પુરાણો છે, એ સાબિત કરી બતાવ્યું છે. મહાત્મા બુધ્ધના સમકાલીન શ્રી મહાવીર સ્વામી જ્યારે તપશ્ચિર્યા કરવા નીકળ્યા, ત્યારે આ ધર્મ પ્રચલિત હતે (1) સમ્રાટ અશેકે પોતાની પ્રશસ્તિઓમાં અહિંસા, અય, સત્ય તથા ચારિત્ર વગેરે ગુણે ઉપર જે ભાર મુક્યો છે. એ ઉપરથી તો એમ લાગે છે કે તે જાતે જૈનધર્માવલંબી રહ્યા હોય તે આશ્ચર્ય નહિ. પ્રોફેસર કર્નલ લખે છે : "His (Asoka's) ordinances concerning the sparing of animal-life agree much more closely with the ideas of heretical Jains than those of the Budhists." અર્થાત્ “અહિંસા બાબતમાં અશકની જે આજ્ઞાઓ છે. તે બૈદ્ધસિધ્ધાતો કરતાં જેનસિધ્ધાંતો સાથે વધારે સામ્ય દેખાડે છે. જૈન ગ્રન્થમાં તે જેને હોવાનાં પ્રમાણ મળી આવે છે ? 1. ઈન્ડીયન એન્ટીકરી પુસ્તક 5 પૃષ્ઠ 205. 2. રાજાવલી કથા (ફનાડી)
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy