SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. ટ તેઓએ પશ્ચાત્તાપ કર્યો અને એવાં કૃત્યના પરિણામે ભવિ. વ્યમાં પિતાને સંકટમાં નહિ નાખવાનો નિર્ધાર કર્યો હતો. સ્ટેશન માસ્તરની વિનતિથી મહારાજશ્રીએ સ્ટેશન ઉપર એક ભાષણ આપ્યું હતું. ત્યાર પછી મહારાજશ્રી ઓછડી પધાર્યા. ત્યાં ઘટિઆવલીના ઠાકોર સાહેબ શ્રીમાન શંભુસિંહજી, રેલાહેડાના ઠાકોર સાહેબ શ્રીમાન સજજનસિંહજી, પઢેલીના ઠાકોર સાહેબ શ્રીમાન પ્રતાપસિંહજી અને ઓછડીના ઠાકોર સાહેબ શ્રીમાન ભૂપાલસિંલજી એ ચારે ઠાકોર સાહેબોને એક સાથે અને એકજ ઠેકાણે મહારાજશ્રીનાં દર્શનનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતે પઢોલીના ઠાકોર સાહેબે એટલે સુધી કહ્યું કે જે આજે આપશ્રીનાં પગલાં અહિં ન થયાં હેત તો અમે બધા જરૂર આપની પાસે આવ્યા હોત, પરંતુ અમે અમારું એ સિભાગ્ય સમજીએ છીએ કે અમારી એ ભાવના પ્રભુકૃપાથી પાર પડી છે. પુઠોલીને ઠાકોર સાહેબ શ્રી મહાવીર જયંતી, પાર્શ્વનાથ જયંતી, તેમજ પેલીમાં મહારાજશ્રીના આવવા જવાના દિવસોએ કેવળે પેઢલીમાં જ નહિ, પરંતુ તેની સમગ્ર હદમાં જીવહિંસા નહિ થવા દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. પુરૈલીની હદમાં આવેલી નદીમાં કઈ પણ વ્યક્તિ કંઈ પણ વખતે માછલાએ મારી શકે નહિ તે માટે મહારાજશ્રીએ નદી કિનારા ઉપર એક શીલાલેખ મૂકી દેવાને પિતાને વિચાર દર્શાવ્યું. ઘટિઆવલીના ઠાકોર સાહેબે મનેહર વ્યાખ્યાતા પંડિત મુનિશ્રી છગનલાલજી અને ચરિત્રનાયક એ બન્નેના સદુપદેશથી તળાવના કેઈ પણ જાનવરને કયારે અને કઈ પણ વ્યક્તિ મારી શકે નહિ તે માટે એક શીલાલેખ
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy