SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આદશ મુનિ. 31 11 ~-~~-~~~-~~-~ મુનિ–રાજા! આટલી બધી ઉતાવળ કેમ? જે પેલે અપ રાધી થોડા સમય માટે પોતાના કુટુંબીઓને મળવા ચાહે, અગર તે પિતાના કુટુંબીજનોને એમ પણ કહેવા ઈ છે કે તમે લોકો મારા જે દુરાચાર કરશે નહિ, નહિ તે કદાપિ મારી માફક માર્યા જશે, તે તેને તેમ કરવાનો સમય આપશે કે નહિ. રાજા–ભગવાન એ આપે શું કહ્યું? હું તે અપરાધીને ઘેર જવા દેવાની વાત તો દૂર રહી, પરંતુ મોઢેથી બોલવા પણ દઉં નહિ, તે પછી સાંભળવાની તે વાત જ શી ? મુનિ:–રાજન ! જ્યારે તમે માત્ર એક જ અપરાધ કર નારને થોડા સમય માટે પણ છેડી શકે નહિ, તે પછી તમારા દાદા જેમણે એક બે નહિ બલ્ક અનેક અત્યાચાર કર્યા હતા, તેમને પરમધામવાસી યમદૂતો અહીં શા માટે આવવા દે? કદાપિ આવવા દેશે નહિ. બસ, તારા પ્રશ્નને આજ યથાર્થ ઉત્તર છે. રાજા:–ભગવન્! આપ બુદ્ધિના સાગર છે. ન્યાય તથા પત્થરને જયાં બેસાડવામાં આવે ત્યાં બેસે છે. પરંતુ હું આ માનતા નથીઅનેક અત્યાચાર કરનાર મારા દાદાને યમદૂતે ન છોડે તો તે કબુલ. તેમને જવા દે. કેમકે તે તે પરતંત્ર છે. પરંતુ મારી દાદીમાં તે બહુ પરેપકારિણી હતી. તે હંમેશાં સઘળાંને સુખ આપતી. મતલબમાં તે પિતાની ઈચ્છાનુસાર કાર્ય કરતી હતી. તે આપના મત અનુસાર અવશ્ય સ્વર્ગમાં ગઈ હેવી
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy