SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. -~~~-~~-~- ~~- ~~~-~ તેઓ કમ્મર કસીને વૈરાગ્યના મેદાનમાં ઉતર્યા છે ત્યારથી પ્રવચને કરવાં એ તેમનું એક જબરદસ્ત કાર્ય થઈ પડયું છે. ભૂલા પડેલા અને સંસારની ભયંકર ગલી-ગુંચીઓમાં ભટક્તા મુસાફરોને કઇ પણ પ્રકારને ત્રાસ ભેગવ્યા વગર પિતાના સીધા અને સાચા માર્ગ ઉપર પહોંચવા માટે મહારાજશ્રીના પ્રભાવશાલી ભાષણે માર્ગદર્શક થઈ પડયા છે અને જેઓ તે માગે ગયા છે તેઓને આત્મશાન્તિની ખરેખરી પ્રાપ્તિ થઈ છે. આવા પ્રકારનાં વ્યાખ્યાને સાંભળવાથી શેઠશ્રીનાં મન ઉપર ભારે અસર થઈ અને પોતાની મિલકતમાંથી રૂ. 122800, (એક લાખ, બાવીશ હજાર અને આઠસો રૂપીયાની જબરદસ્ત દાનની રકમ કાઢી આપવાની પ્રતિજ્ઞા કરી. તે જ વખતે શેઠ સાહેબના સ્વનામ ધન્ય પુત્રરત્ન શ્રીમાન લાલચંદજી સાહેબે તેમજ તેમના મુનીમજી સાહેબ શ્રીમાન હીરાલાલજીએ ઉભા થઈને તેમની પ્રતિજ્ઞાનું અનુમંદન અને સમર્થન સુંદર રીતે હ્યું હતું. બસ, હવે શું બાકી હતું? ચેમેરથી મહારાજશ્રીના જયજયારવ સાથે દાનવીર શેઠશ્રીને પણ સર્વત્ર જય જયકાર થવા લાગે. શેઠ સાહેબની આ પ્રતિજ્ઞાએ ખ્યાવર શહેરના દરેકેદરેક ભાગમાં આ અપૂર્વ દાનવીરતા અને ત્યાગ ભાવનાને સુંદર દાખલે બેસાડી દીધે, એટલું જ નહિ પણ શેઠ સાહેબના આ સુંદર કાર્યની ભારોભાર પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ બધું મહારાજશ્રીના પ્રભાવશાળી વ્યાખ્યાનનું પરિણામ છે. અને ખ્યાવર શહેરનું પણ સદ્ભાગ્ય છે કે તે પણ પિતાનાં પ્રતિસ્પધી શહેરની સામે ઉદારતા અને દાનવીરતાનાં મેદાનમાં ઉભા રહેવાનું સાત્ત્વિક ગૈરવ અને સાહસ ધરાવે
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy