SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 25 આદર્શ મુનિ. विपत्तौ किं विषादेन, सम्पत्तौ वा हर्षेण किम् / भवितव्यं भवत्येव, कर्मणा मीदृशी गतिः॥ “સંકટ આવી પડે ત્યારે ખેદ કેવો? અને સંપત્તિ મળતાં આનંદ કે? કેમકે કર્મોની તે એવી ગતિ છે કે જે થવાનું હશે તે થશેજ ત્યારે અટશે.” આ પ્રમાણે વિચાર કરતી, પિતાના એકાંત સમયને સદુપયોગ કરવા જિનેશ્વર પ્રભુની ભક્તિમાં મગ્ન બની નવકાર મંત્ર જપવા લાગી. કામકાજથી નિવૃત્ત થઈ ધનાવહ શેઠ પિતાને ઘેર આવ્યા, અને ચંદનબાલાને ન દેખતાં પિતાની સ્ત્રીને પુછવા લાગે. પરંતુ “આટલામાં કંઇ હશે” એમ કહી ઉપાધિ અળગી કરી. બીજે દિવસે પણ એમજ થયું. પરંતુ ત્રીજે દિવસે તેના આ ઉત્તરથી તેને શાન્તિ ન વળી અને તે આકુળવ્યાકુળ થવા લાગ્યું. પિતાની પત્નીને ખૂબ ધમકાવી ત્યારે તે કહેવા લાગી કે તેને કોઈ સંબતી આવ્યા હશે તે તેને લઈ ગયે હશે. મને તે કંઈજ ખબર નથી. આટલું દ્રવ્ય ખરચી મેં છોકરી ખરીદી હતી, તે દ્રવ્ય પણ ગયું અને છોકરી પણ ગઈ. જેના શથી વ્યથિત થઈ હું તો મરવા પડી છું. વિશેષ દુઃખની વાત તે એ છે કે તમે પણ મારા ઉપર નકામો કેધ કરે છે. આમ કહીને મૂલા ચૂપ રહી. - ધનાવહ શેઠે તે વખતે ભેજન ન કર્યું; અને જ્યાં સુધી ચંદનબાલાનું મેં દેખીશ નહિ ત્યાંસુધી અન્નજળ લઈશ નહિ. એવી પ્રતિજ્ઞા કરી અનશન વ્રત ધારણ કરી શકાતુર વદને
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy