SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ on આદર્શ મુનિ. અને મહાનગીઓ માર્ક શાસ્ત્રોમાં રમણ કરનાર દેહ જમીન ઉપર પડે, છતાં વારાંગનાએ તેની તલભાર પરવાર ન કરી. કર્મની ગતિ ગહન છે. આ સંસારમાં એવી અદશ્ય સત્તાઓ વિચારે છે જે નિરાશ્રિતો અને નિસ્સહાને સહાય કરે છે. વારાંગનાના ઘરની નરક યાતનાના ખ્યાલથી વસુમતી ઢળી પડી હતી. તે જ વખતે પેલી વેશ્યાના મુખારવિંદના ભૂષણ રૂપી નમણું નાક કેઈ અદશ્ય સત્તાએ કાપી લીધું. આમ નાસિકા છેદન થતાં તે ઉપહાસને ગ્ય થઈ. આથી વેશ્યા પિતાનું દ્રવ્ય પાછું લઈ વસુમતીને ખરીદ્યા સિવાય પિતાને રસ્તે પડી. શિયળરક્ષક દેવતાએ વાંદરા જેવું રૂપ બનાવી વેશ્યાને ખેંચી નાખી દ્રપ બનાવી. વેશ્યાએ વિચાર કર્યો કે આમ ખરીદતાં વેંત જ પ્રથમ ગ્રાસે મક્ષિા ની માફક આમ બેહાલ થવું પડયું તે આગળ ઉપર શું થાય? તેથી વસુમતીને છોડીને તે ચાલી ગઈ.. ત્યાર પછી પેલે સુભટ તેને વેચવાને બીજા બજારમાં લઈ ગયે, ત્યાં ધનાવહ નામનો એક અત્યંત ધનાઢય વણિક આવી પહોંચ્યું. તેણે પૂરા પૈસા આપીને વસુમતીને ખરીદી લીધી. જળથી ભરપૂર વાદળાંમાં પૂર્ણિમાને ચંદ્ર છુપાઈ ગયે હતું, પરંતુ તેને બદલે ચંદ્રમુખી વસુમતીને મુખચંદ્ર ધર્મ તથા શીલના પ્રભાવથી ઝળહળીત થઈ રહ્યા, તેની શાન્ત મુખમુંદ્રા જોઈ ધનાવહને બહુજ આનંદ થયે. વસુમતીને દુખી જેઈ ધનાવહે કહ્યું, “પુત્રી! તું ડર નહિ. અમારા ઘરમાં ધર્મનું પાલન થાય છે, અને સાધુ સાધ્વીઓની યથાશક્તિ સેવા સુશ્રુષા પણ થાય છે. તારી મરજીમાં આવે
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy