SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 234 >આદર્શ માન. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^ ^^^^^^^ ^^ સ્પષ્ટ શબ્દોમાં સાચી પુરવાર કરી છે. હાલમાં જ અલ્લાહાબાદ પ્રેસ તરફથી “સિદ્ધપદાર્થ–વિજ્ઞાન” નામનો ગ્રંથ પ્રકાશિત થયા છે, જેમાં તેના લેખક કેપ્ટન સ્કાર્સ બી. એ. સાબિત કરી બતાવ્યું છે કે પાણીના એકજ બુંદમાં સૂક્ષ્મ યંત્રદ્વારા ૩૬૪પર સુક્ષ્મજીવો હરતા ફરતા દેખાય છે. તે યંત્રનું ચિત્ર જુઓ. અમે લોકો છાશ બનાવવામાં અથવા સ્નાન કરવામાં જે ગરમ પાણી બાકી રહે છે તેને, અથવા તે દ્રાક્ષ, પિસ્તાં, ચાખા ઈત્યાદિના વણને પીએ છીએ. ચાહે એટલી ઠંડી પડે, છતાં જે ત્રણ વસ્ત્ર અમે ઓઢી રાખીએ છીએ. તેનાથી વિશેષ રાખી અથવા ઓઢી શકતા નથી. સાંસારિકે પાસે માગી શક્તા નથી, તેમજ અગ્નિદ્વારા તાપીને પણ ઠંડીનું નિવારણ કરી શક્તા નથી. અમે હજામ પાસે હજામત કરાવી શકતા નથી, પરંતુ અમારા હાથથી જ તેને ઘાસની માર્ક ઉખાડી નાખીએ છીએ. રેલ્વે, મોટર, ઘોડાગાડી, હાથી, ઘોડા ઈત્યાદિ કઈ પણ પ્રકારની સ્વારી કરી શક્તા નથી. પરંતુ એક શહેરથી બીજે શહેર, અને એક ગામથી બીજે ગામ પગપાળા ઘૂમી ઘૂમીને ઉપદેશ આપીએ છીએ. અમારે સરસામાન ઉઠાવવાને સાથે મજુર અગર કે પણ માણસને રાખતા નથી. સંસારીઓ પાસે હાથ પગની ચંપી કરાવતા નથી. નેટ, હુંડી, સોનામહોર, રૂપીઆ, પૈસા, કાર્ડ (પત્ત), કવર (લિફાકે) વિગેરે એટલે સપ્ત ધાતુઓની બનેલી કઈ પણ વસ્તુ અમારી
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy