SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 5o વધારવી કઠિન છે. સદગતિ શુભ આત્મપરિણતિથી થાય - જ્ઞાની ઠીક જ કહે છે એવું ખુ નાણુ ચરણેણ હિણે, ભારર્સ ભાગી નહ સુગઈએ,” ચારિત્રઆવરણની ક્રિયા વિના કેરા જ્ઞાનવાળે તે માત્ર જ્ઞાનના ભારને ભાગી છે, પણ જ્ઞાનની સુવાસરૂપ શુભ આત્મપરિણતિને ભાગી નહિ, તેથી સદ્ગતિને ભાગી નહિ. સદુગતિ આત્માની શુભ પરિણતિ ઉપર નિર્ભર છે. સદૂગતિ શુભ આત્મપરિણતિથી નીપજે. અશુભ મલિન પરિણતિથી તે દુર્ગતિ નીપજે. જાણે છે કે પાર્શ્વનાથ ભગવાન પહેલા ભાવમાં મરુભૂતિ મહાન શ્રાવક હતા છતાં અંતે કમઠની શિલાથી માથું ફૂટતાં અંતરની પરિણતિ બગાડી, મલિન કરી, તો સદ્દગતિ ન થઈ ને? ઉતરી પડયા હાથીના તિર્યંચગતિના અવતારમાં! આવા સજજન મહાન શ્રાવક, ને તે વળી પોતે નિર્દોષ છતાં દુર્જન કમઠને ખમાવવા ગયેલા ! સજનતામાં કાંઈ બાકી છે? ના, છતાં હાથીના અવતારમાં? હા, કારણ કે અંતકાળે શુભ પરિણતિ ગુમાવી બેઠા, પછી ભલે એ માત્ર શારીરિક છે પરી ફૂટવાથી તીવ્ર પીડા પર હાયેયની પરિણતિ હોય, પણ એ મલિન પરિણતિ છે. હાયવોયની પણ મલિન પરિણતિથી દુર્ગતિ નીપજે.
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy